સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફરી એકવાર પાકિસ્તાનને નિરાશા હાથ લાગી છે. પાકિસ્તાન અને ડ્રેગનની ચાલ ફરી એકવાર ઉંધી પડી છે. જમ્મૂ-કશ્મીર મામલે પાકિસ્તાન અને ચીને સાથે મળીને UNSCમાં બંધ બારણે મિટીંગ બોલાવી હતી. જેમાં ચીન સિવાય તમામ દેશે કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો હતો.
ચીને મૂક્યો બંધ બારણાની મીટિંગનો પ્રસ્તાવ
બ્રિટન અને ફ્રાંસ સહિત અનેક દેશોએ કર્યો વિરોધ
દરેક દેશોએ માન્યો કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો
બ્રિટન, ફ્રાંસ, અમેરિકા અને રશિયા સહિતના દેશે કાશ્મીર મામલે ચીનની વાતને ફગાવી દીધી હતી. ફ્રાંસે આ મામલે કહ્યું કે ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે આ મામલો ઉકેલાવો જોઈએ. ભારત હંમેશાથી જમ્મૂ-કશ્મીર મામલે કોઈ પણ વિદેશી રાષ્ટ્રના હસ્તક્ષેપથી ઈનકાર કરતું રહ્યું છે. આ સાથે જ ભારત કશ્મીરને પોતાનું અભિન્ન અંગ માનતું આવ્યું છે. ત્યારે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરડાઈ છે.
ચીનના પ્રસ્તાવની વિરુદ્ધમાં ફ્રાંસ
મળતી માહિતી અનુસાર ફ્રાંસે આ શક્તિશાળી સંસ્થામાં એક વાર ફરી કાશ્મીર મુદ્દાનો વિરોધ કર્યો છે. આફ્રિકી દેશોની સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા માટે સુરક્ષા પરિષદની બંધ રૂમમાં બેઠક બોલાવાઈ છે. ગયા મહિને ફ્રાંસ, અમેરિકા, બ્રિટન અને રૂસે UNSCની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાની ચીનની કોશિશ નાકામ કરી હતી. જમ્મૂ કાશ્મીરનો ભારત દ્વારા પુનર્ગઠન કરાયું અને જે ચીનને ગમ્યું નથી.
સૌએ માન્યો કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો
કાશ્મીર મુદ્દે બ્રિટને કહ્યું કે તે દ્વિપક્ષીય મુદ્દો છે અને તેનો સંયુક્ત રાષ્ટ્ર સાથે કોઈ લેવા દેવા નથી. બ્રિટનની જેમ યુ.એસ.એ પણ કહ્યું હતું કે આ યુએનએસસીનો કેસ નથી. ભારતીય રાજદૂત અકબરુદ્દીને કહ્યું કે, ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરની સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન ગડબડી કરવા પ્રયાસ કરી રહ્યું છે.
ભારતે જાહેર કર્યો આનંદ
સૈયદ અકબરુદ્દીને કહ્યું, 'અમને ખુશી છે કે ચીનના પ્રયત્નોને અવક્ષેપ તરીકે જોવામાં આવ્યા હતા અને ભારતના ઘણા મિત્ર દેશોએ કહ્યું હતું કે આ મામલો દ્વિપક્ષીય છે અને યુએનએસસી સમક્ષ તેને વધારવાની જરૂર નથી. પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરીને આ મામલાનો ઉકેલ શોધી કાઢવો જોઈએ.
કાશ્મીરમાં પણ સ્થિતિ થઈ રહી છે સામાન્ય
પાકિસ્તાનની અપીલ પર ચીને કાશ્મીરનો મુદ્દો યુએનએસસીની સામે ઉઠાવ્યો હતો જ્યારે ભારતે 15 દેશોના રાજદ્વારીઓને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ભારતે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં બ્રોડબેન્ડ અને ટુ-જી સેવાઓમાં છૂટ આપી છે. આ સાથે કેટલાક રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.