પાકિસ્તાનના નાણા પ્રધાન મિફતાહ ઈસ્માઈલે જાહેરાત કરી કે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 30 રૂપિયા પ્રતિલીટર વધારવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 30 રૂપિયાનો વધારો
પૂર્વ PM ઈમરાનખાને સરકાર પર આકરાં પ્રહાર કર્યા
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ હાલતા બગડ્યાં
પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઘમાસાણ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.પાકિસ્તાનની સરકારે મોંઘવારીનો બોમ્બ ફોડતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યા છે. જે બાદ ઈસ્લામાબાદમાં એક લીટર પેટ્રોલની કિંમત 179.86 અને ડીઝલની કિંમત 174.15 રૂપિયા પર પહોંચી જવા પામી છે. આ સાથે કેરોસીન તેલના ભાવ વધાર્યા છે. જે બાદ તેની કિંમત 155.56 રૂપિયા થઈ ગઈ છે.
Nation starting to pay price for Imported govt's subservience before foreign masters with 20% / Rs30 per litre hike in petrol & diesel prices - the highest single price hike in our history.The incompetent & insensitive Govt has not pursued our deal with Russia for 30% cheaper oil
In contrast India, strategic ally of US, has managed to reduce fuel prices by Pkr 25 per litre by buying cheaper oil from Russia. Now our nation will suffer another massive dose of inflation at the hands of this cabal of crooks.
પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર થયેલા વધારા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને હાલની સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતાં. તેઓ ટ્વિટ કરી પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યુ હતું તો વળી ભારતના વખાણ કર્યા હતાં. ઈમરાન ખાને ટ્વિવટર ઈંધણની કિંમતો પર સતત વધારા માટે લખતા જણાવ્યું દેશ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 30 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે, આયાતી વિદેશી માલિકોને સરકારની આધીનતા માટે કિંમત ચૂકવવા લાગી છે. આ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વૃદ્ધી છે. રશિયાથી 30 ટકા સસ્તુ તેલ લેવા માટે અક્ષમ અને સંવેદનશીલ સરકારે અમારા સોદોને આગળ ન વધાર્યો. જ્યારે ભારત, અમેરિકા જે રણનીતિક સહયોગી છે. તે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઇંધણના ભાવમાં PKR 25 પ્રતિ લિટર ઘટાડવામાં સફળ રહ્યાં છે.
નાણામંત્રી ઈસ્માઈલની ઘોષણા
પાકિસ્તાની નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે ગુરુવારે ઘોષણા કરી હતી કે, સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રી ઈસ્લામાબાદમાં એક પત્રકાર સંમેલનમાં આ જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, આ નિર્ણય આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષ કાર્યક્રમના પુનરુત્થાનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ હાલતા બગડ્યાં
બીજી બાજુ પાકિસ્તાનમાં પાછલાં દિવસોમાં થયેલી સત્તા પરિવર્તન બાદ હાલત સુધરવાના બદલે વધુ બગડ્યાં છે. ઈમરાનખાની આઝાદી માર્ચ રોકવા માટે પાકિસ્તાની સરકારને રેડ ઝોનમાં સેના ખડકાવી દીધી છે. પ્રદર્શનકારીયો અને સુરક્ષા કર્મીઓમાં પણ ભારે મારામારી થઈ હતી. બીજી બાજુ ઈમરાનના સમર્થકોએ એક મેટ્રો સ્ટેશનને પણ આગના હવાલે કરી દીધું હતું.