પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે (રવિવાર) ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક બોલાવી છે.
પાકિસ્તાને આરોપ લાગવ્યો છે કે, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર કલસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન સુરક્ષાની સ્થિતિને લઇને ચર્ચા કરશે અને સાથે જ આંતરિક તથા બહારી મામલાઓ પર વાતચીત કરશે.
તમને જણાવી દઇએ કે, ભારતીય સેનાના એક્શનથી પાકિસ્તાન ઘબરાયેલુ છે. પાકિસ્તાને રવિવારે નિયંત્રણ રેખા (LOC)ની પાસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સેના માટે એડવાઝરી જારી કરી છે, જેમાં LOC પર ફાયરિંગને કારણે સેનાને એલર્ટ રહેવા માટે કહ્યુ છે.
જમ્મૂ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની BAT ( બોર્ડર એક્શન ટીમ )ની ઘુસપેઠની તમામ પ્રયત્નોને નાકામ કરી દીધી. આંતકીઓ સાથે મુઠભેડમાં ભારતીય સેનાએ 5-7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડો/ આતંકીઓને માર્યા.
Indian Army: Have offered Pakistan Army to take over the dead bodies(of 5-7 Pak BAT army regulars/terrorists). Pakistan Army has been offered to approach with white flag and take over the dead bodies for last rites,they are yet to respond. pic.twitter.com/x1mF7yHSyv
ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની નિયત્રંણ રેખા (LOC) પર માર્યા ગયા આતંકવાદીઓના શવને લઇ જવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. ભારતીય સેનાને પાકિસ્તાની સેનાને શવ લઇ જવા માટે સફેદ ઝંડાની સાથે પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે પાકિસ્તાન તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી.
સેનાએ પૂરાવા તરીકે તેમાં 4 શવની સેટેલાઇટથી ફોટો મોકલી હતી. સત્તાવાર સૂત્રોનુસાર, પાકિસ્તાની તરફથી કાશ્મીરની શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને ફાયરિંગની આડમાં જેશ-ઐ-મોહમ્મદના આંતકવાદીઓને ભારત ઘુસાડવામાં પ્રયત્નમાં હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ અને આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. આ ઘટના 31 જુલાઇ અને 1 ઓગસ્ટ દરમિયાનની રાતના સમયની છે. આતંકીઓએ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઘૂષણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જો કે, ભારતીય સેનાએ તેમની આ યોજનાની સફળ થવા દીધી નહોંતી