જમ્મૂ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી ગભરાયેલા પાકિસ્તાને દુનિયાનું ધ્યાન ખેંચવા માટે ગુરૂવારે બેલેસ્ટિક મિસાઇલ ગજનવીનું પરીક્ષણ કર્યું છે. મિસાઇલ પરીક્ષણ પર ઇમરાન ખાને પાકિસ્તાનના વૈજ્ઞાનિકનો અને સેનાને શુભેચ્છા પાઠવી.
ઉલ્લેખનીય છે કે બેલેસ્ટિક મિસાઇલના પરીક્ષણને લઇને પાકિસ્તાને પહેલાથી જ નૉટમ જાહેરકર્યું હતું. આ મિસાઇળ પરીક્ષણ કરાચીની પાસે સોનમિયાની ઉડાન પરીક્ષણની રેન્જમાં કરવામાં આવ્યું છે.
પાકિસ્તાને મિસાઇલ પરીક્ષણને લઇને નૌસેનાને એલર્ટ જાહેર કર્યું હતું. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય સંભવિત મિસાઇલ પરીક્ષણને ધ્યાનમાં લઇને કર્યો હતો.
ઉશ્કેરાયેલું પાકિસ્તાન દરરોજ નવા નવા નાટક કરી રહ્યું છે. ત્યારે હવે ઈમરાન ખાને હવે પોતાની ખુરશી બચાવવા માટે પાકિસ્તાનમાં બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરિક્ષણ કર્યું છે. ભારતે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી ત્યાર બાદ ઉશ્કેરાયેલા પાકિસ્તાનનું આ નવું નાટક છે.
Spokesperson, Pakistan Armed Forces, Major General Asif Ghafoor tweets, 'Pakistan carried out night training launch of surface to surface ballistic missile Ghaznavi, capable of delivering multiple types of warheads upto 290 KMs.'
હવે બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરીને પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે. જોકે અહીં પાકિસ્તાનને સમજવાની જરૂર છે કે ભારત પાસે તેનાથી વધુ મારક ક્ષમતા વાળી મિસાઈલ છે.
પાકિસ્તાને ગજનવી મિસાઇલનું પરીક્ષણ કરી દુનિયાને તણાવનો સંદેશ આપવાનો પ્રયત્ન માનવમાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતિ અનુસાર કોઇપણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા ત્રણ દિવસ પૂર્વ આપવાની હોય છે.
પાકિસ્તાન તરફથી મિસાઇલ પરીક્ષણની સુચના ભારતને અગાઉથી આપવામાં આવી હતી. પાકિસ્તાને આ અંગેની સૂચના 26 ઓગસ્ટના રોજ ભારતીય અધિકારીઓને આપી હતી.