જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં ઉશ્કેરાયું છે. પ્રૉપગેન્ડા અને કૂટનીતિક તરીકે કામ ન આવવા પર તેઓ આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરાવી શકે છે. જેને ધ્યાને રાખતા કચ્છમાં ભારતની પાકિસ્તાન સાથે જોડાયેલ બોર્ડરને લઇને ટેરર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાત પોલીસે આ અલર્ટ મોકલ્યું છે.
કશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન ડરી ગયું છે. ત્યારે હવે પાકિસ્તાન કશ્મીર પરથી ધ્યાન ભટકાવવા માટે નવું ષડયંત્ર રચી રહ્યું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાને ગુજરાતના સરક્રીક એરિયા સામે એસએસજી કમાન્ડોને તૈનાત કરી દીધા છે. પાકિસ્તાને ઇકબાલ-બાજવા પોસ્ટ પર પોતાના કમાન્ડો તૈનાત કરી દીધા છે. બીએસએફ દ્વારા બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો છે. પાકિસ્તાન તેના આ કમાન્ડોનો ઉપયોગ ભારતીય સુરક્ષાબળો સામેના ઓપરેશન માટે કરી શકે છે. પાકિસ્તાની એસએસજી કમાન્ડો ભારતીય સેના સામે બોર્ડર એક્શન ટીમની મદદથી કાર્યવાહી કરી શકે છે. ત્યાંની દરેક ચોકીઓ પર કમાન્ડોની સંખ્યા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાન લાંબા સમયથી જમ્મૂ-કશ્મીર અને એલઓસી પર ભારતીય સેના સામે ષડયંત્ર રચી રહ્યું છે. ત્યારે સેનાની તમામ હલચલ પર ભારતીય સેનાની ચાંપતી નજર છે.
જાણો શું છે સરક્રીક વિવાદ
સરક્કીક ભારત- પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર- સિયાચીન જેવો જ વિવાદ છે. ગુજરાત અને પાકિસ્તાનના સિંધ વચ્ચે 96 કીમીનો આ વિવાદિત વિસ્તાર છે. નારાયણ સરોવર અને લખપતની વચ્ચે આવેલું છે સરક્રીક. દરિયાકિનારાનો કાદવ વિસ્તાર છે જે ભારત-પાકિસ્તાનની વચ્ચે આવેલો છે. ચોમાસામાં આ વિસ્તાર સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ જાય છે. ભારતના આ ભાગ પર પાકિસ્તાન પહેલેથી દાવો કરતું આવ્યું છે. અગાઉ પણ 1960ના દાયકામાં આ સરક્રીક વિવાદ તીવ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર કાદવ કીચડવાળો રહેતો હોવાથી તેની સીમા હાલ સુધી નક્કી થઈ શકી નથી.
પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્યની કચ્છ બોર્ડર પર આતંકી અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખુફિયા એજન્સીઓએ ગુજરાત પોલીસને અલર્ટ રહેવા કહ્યું છે. તો બીજી તરફ આતંકીઓની ઘૂસણખોરીના અલર્ટને લઈને ભારત-પાક બોર્ડ પર મરીન અને સીમા પોલીસને તૈનાત કરવામાં આવી છે.