ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર હીરાનગર સેક્ટરમાં સોમવારે રાતે એકવા ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાતે 11 વાગ્યાની આસપાસ પાકિસ્તાન બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી) પપ્પૂ ચકથી બીએસએફની ચાંદવા પોસ્ટ પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું.
જો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં કોઇપણ પ્રકારનું જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે સરહદ પર ડિચ (ખાઇ) બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેને બંધ કરવાનું પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યું છે. મે મહિનામાં હીરાનગર સેક્ટરના ચાંદવા પોસ્ટને પાંચમી વખત નિશાન બનાવી સીઝફાયરનો ભંગ કર્યો છે.
ઉલ્લેખનીય છે આ અગાઉ નૌશેરા સેકટરના પુખરણી ગામમાં શનિવારે મોડી રાતે પાકિસ્તાની સેનાના સ્નાઇપર શોટથી એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પાકિસ્તાન અવાર નવાર સીઝફાયરનો ભંગ કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાને આજે પણ સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સીમા હીરાનગર સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે.
જે બાદ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનની બોર્ડર આઉટ પોસ્ટ પપ્ચૂ ચકથી બીએસએફની ચાંદવા પોસ્ટ પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. તો ભારતીય સેનાએ પણ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. જોકે, આ સીઝફાયરમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં હીરાનગર સેક્ટરમાં ચાંદવા પોસ્ટને પાંચમી વાર નિશાન બનાવીને સીઝફાયરનો ભંગ કર્યો છે.