મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ 370ને નબળી કરી દેવામાં આવ્યા બાદ રાજકીય ગરમાવો માત્ર દેશમાં, કાશ્મીરમાં કે સરહદની અંદર જ નહીં પરંતુ સરહદને પેલે પાર પણ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી સહિત તમામ નેતાઓએ નિવેદન કર્યુ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારત વિરોધી રેલી નીકળી. આ બધાની વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી ભારતના સમર્થનમાં બેનર લગાવ્યાના પણ સમાચાર વહેતા થયા છે.
સમાચારોને અનુસાર, ઇસ્લામાબાદમાં હાઇ સિક્યુરિટી રેડ જોન સહિત શહેરનાં વિભિન્ન સ્થળો પર ભારતનાં સમર્થનમાં બેનર લગાડેલા જોવા મળી રહ્યાં છે. વધારે બેનર કોહસર અને આબપારા થાણા ક્ષેત્રોમાં લાગ્યા છે. ઇસ્લામાબાદ (Islamabad) ના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) આમિર જુલ્ફિકારના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે સેફ સિટી કેમેરાની સહાયતાથી બેનર લગાવનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.
પોલીસે અજાણ્યાં વિરૂદ્ધ કેસ દાખલ કર્યોઃ
પોલીસે શિવસેનાના સંજય રાવતનો સંદેશ આગળ વધારનારા બેનર (posters) લગાવવા માટે અજાણ્યાં શખ્સો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 'મહા-ભારત એક કદમ આગે' શીર્ષક સાથે લગાવવામાં આવેલ બેનરો પર લખવામાં આવ્યું છે કે, 'આજ જમ્મુ-કાશ્મીર (jammu kashmir) લીયા હૈ, કલ બલૂચિસ્તાન, પીઓકે લેંગે. મુઝે વિશ્વાસ હૈ દેશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખંડ હિંદુસ્તાન કા સપના પૂરા કરેંગે.'
Nothing can be more embarrassing for Pakistan. 😆😆 Posters all over Islamabad with 'Maha Bharat : A Step Forward' written on it. Quoting ANI tweet of Sanjay Raut on Jammu and Kashmir full integration with India. And Balochistan as next goal. Says, Akhand Bharat would come true. pic.twitter.com/sBxZL0JEbt
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ની અનેક જોગવાઇઓ હટાવવા સંબંધિત સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. આ સંકલ્પ રાજ્યસભા અને લોકસભા, સાંસદના બંને ગૃહોમાંથી બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સહિત તેને તત્કાલિક લાગુ કરી દેવામાં આવ્યું છે.
ભારતના આ પગલાંથી હલબલી ઉઠેલ પાકિસ્તાને આ બે પરમાણુ સંપન્ન પાડોશીઓની વચ્ચે શાંતિ માટે એક ખતરો જણાવવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો છીણવવાનો પ્રસ્તાવ રજૂ કરાતા જ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન મીડિયા, બંને હલબલી ઉઠ્યા હતાં.