વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, ''એર સ્ટ્રાઇકના સમય ભારતીય સેનાને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે, પાકિસ્તાનના કોઇ નાગરિક અને સૈનિકને ખરોચ પણ ના પહોંચવી જોઇએ.'' અમે આતંરરાષ્ટ્રીય સમુદાયમાં કહ્યુ કે, ''એર સ્ટ્રાઇક પોતાના બચાવ માટે કરવામાં આવી કાર્યવાહી હતી.'' ભારતની વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના પાકિસ્તાનના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનમાં ઘુસીને આંતકી વિસ્તારને તબાહ કર્યા હતા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં 350 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
સુષમા અનુસાર, એર સ્ટ્રાઈક માટે સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી, પરંતુ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ નાગરિક કે સેનાના જવાનને નુકસાન ન થાય. આટલું જ નહીં તેના કોઈ પણ સામાન્ય નાગરિકને ખરોચ પણ નથી આવી, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જણાવ્યું હતું કે,એરસ્ટ્રાઈક પોતાના બચાવમાં કરવામાં આવેલી એક કાર્યવાહી છે.
સુષ્મા સ્વરાજના નિવેદન પછી પાકિસ્તાનના આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ કે, '' ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી. સાથે એવું પણ કહ્યું કે, નવી દિલ્હીએ તે દાવો પણ પરત લઈ લેવો જોઈએ કે તેમને ફેબ્રુઆરીમાં એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. ''
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં CRPFનાં કાફલા પર થયેલા આત્મધાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ભારત સતત પાકિસ્તાન પર આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવાનું દબાણ કરી રહ્યો છે.
26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદના આતંકી ઠેકાણાંઓ પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, 350 આતંકીઓ ઠાર મરાયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમા ઓળંગી હતી. જેની જવાબી કાર્યવાહીમાં ભારતના લડાકુ વિમાનોએ પાકિસ્તાનનું એક ફાઈટર જેટ F-16ને તોડી પાડ્યું હતું. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ તેના પુરાવાઓ પણ રજુ કર્યા હતા.
ભારતની કાર્યવાહી દરમિયાન ભારતનું મિગ-21 ક્રેશ થયુ હતું અને તેના પાઈલટ અભિનંદન વર્ધમાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પહોંચી ગયા હતા. 1લી માર્ચે પાકિસ્તાનના અધિકારીઓએ વાઘા બોર્ડરના રસ્તે અભિનંદનને ભારત પરત સોંપ્યા હતા.