ઉનાળો આવતા જ ગરમી લાગવા લાગે છે. એવામાં આપણે ગરમીથી છુટકારો મેળવવા માટે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરતા હોઇએ છે, ત્યારે અમે તમને મધ્યપ્રદેશમાં આવેલી પંચમઢી જગ્યા માટે જણાવી રહ્યા છીએ.
ગરમીઓ આવતા જ એવી જગ્યાઓ પર જવાનું મન કરે છે ત્યાં ગરમીનો અહેસાસ ઓછો થાય. એના માટે મોટાભાગના લોકો હિલ સ્ટેશન અથવા સુંદર પ્રાકૃતિક જગ્યાઓ પર જાય છે. તમે તમારા પરિવારની સાથે કોઇ એવી સુંદર જગ્યા પર જવાનું વિચારી રહ્યા છો તો તમે મધ્યપ્રદેશના એકમાત્ર હિલસ્ટેશન પર સાતપુડાની રાણી એટલે કે પંચમઢી જઇ શકો છો.
પંચમઢીની ખાસિયત
સાતુપુડાની શ્રેણીઓની વચ્ચે હોવાને કારણે અને સુંદર જગ્યાના કારણે એને સાતપુડાની રાણી કહેવામાં આવે છે. અહીંયાના ઝરણા અને પ્રાકૃતિક નજારો ખૂબ જ શાંતિ આપે છે. અહીંયા ખૂબ જૂની ગુફાઓ છે જેનો ઇતિહાસ ખૂબ જૂનો છે.
પંચમઢી સ્થિત જટાશંકરની ગુફા આ કસ્બાથી 1.5 કિમી દૂર છે. અહીંયા સુધી પહોંચવા માટે થોડુપં ચાલવું પડશે. આ મંદિરમાં નેચરલ શિવલિંગ બનેલું છે.
અહીંયા પાંચ ગુફાઓ છે જેનો ઇતિહાસ મહાભારત કાલથી માનવામાં આવે છે. એમાં 'દ્રોપદી કોઠરી' અને 'ભીમ કોઠરી' પોતાનું ખાસ મહત્વ ધરાવે છે. કેટલાક લોકો એવું માને છે કે આ ગુફાઓનું નિર્માણ ગુપ્તકાળમાં થયું છે.
પંચમઢીમાં એક પહાડી છે જેનું નામ રાષ્ટ્રપતિ ડૉ રાજનેદ્ર પ્રસાદજીના નામ પર રાખવામાં આવ્યું છે. રાજેન્દ્ર જી અહીંયા આવીને રોકાયા હતા અને એમના માટે રવિશંકર ભવન બનાવવામાં આવ્યું હતું.
પાંડવ ગુફાઓથી આગળ આવીને 30 ફીટ ઊંડું તળાવ છે જેમાં ન્હાવા અને તરવાનો આનંદ લઇ શકાય છે. એમાં ઝરણું આવીને પડે છે જેનો નજારો જોવા જેવો છે.