નવા કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સહિત બીજી વિપક્ષી પાર્ટીઓ મોદી પર હુમલો કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કૃષિ કાયદા પર આરટીઆઈ આવેદન રદ્દ થવા પર નીતિ આયોગ પર મન મુકીને નિશાનો સાધ્યો છે. ચિદમ્બરમે સરકારના આ પગલાને હેરાન કરનારુ ગણાવ્યું છે.
ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર માર્ચ કરવા જઈ રહ્યા છે
અંજલીની આરટીઆઈને ફગાવી દેવામાં આવી છે
રિપોર્ટ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં રજુ કરાયો નથી
અંજલીની આરટીઆઈને ફગાવી દેવામાં આવી છે
અંજલી ભારદ્વાજે નીતિ આયોગથી કૃષિ કાયદાને લઈને માહિતી માંગી હતી. નીતિ આયોગે અંજલીના આવેદનને ફગાવી દીધો હતો. આના પર ચિદમ્બરમે રવિવારે ટ્વીટ કર્યુ હતુ. કૃષિ પર નીતિ આયોગની મુખ્યમંત્રીઓની સમિતીએ સપ્ટમ્બર 2019માં વિચાર વિમર્શ કર્યો અને પોતાના રિપોર્ટ આપ્યો.
16 મહિના બાદ પણ રિપોર્ટ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં રજુ કરાયો નથી
16 મહિના બાદ પણ રિપોર્ટને અત્યાર સુધી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની સામે રજુ કરવામાં આવ્યો નથી. કેમ કોઈને નથી ખબર અને કોઈ જવાબ નથી દેતા. આ કારણનો સંદર્ભ ટાંકતા રિપોર્ટની એક કોપી માટે અંજલીની આરટીઆઈને ફગાવી દેવામાં આવી છે. હું અંજલીની ધગશ અને જાણકારી મેળવવાના પ્રયાસની પ્રશંસા કરું છુ.’
ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર માર્ચ કરવા જઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર કાયદા પાછા લેવા તૈયાર નથી. બીજી તરફ વિપક્ષ સતત પ્રહાર રહી છે. આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે કમિટી બનાવવાનું સૂચન કર્યુ છે. જોવાનું કહ્યું કે આ મામલામાં શું નિર્ણય લેવામાં આવે છે. નોંધનીય છે કે ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર માર્ચ કરવા જઈ રહ્યા છે.