AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ભાજપ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ સ્થાનિક પાર્ટીઓના કારણે પંજાબ અને કેરળમાં હાર્યું છે. રાહુલ પોતે અમેઠીમાંથી હારી ગયા છે. પરંતુ વાયનાડમાં તેમની જીત થઈ છે અને તેનું કારણ ત્યાં 40 ટકા મુસલમાન છે. આમ મુસ્લીમ મતદારોને લઈને ઓવૈશીએ રાહુલ પર વાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું કે, તમે લોકો કોંગ્રેસ અને અન્ય ધર્મનિરપેક્ષ પક્ષને છોડવા માંગતા નથી. પરંતુ તમે યાદ રાખજો કે તેમની પાસે તાકાત નથી. તેઓ મહેનત કરતાં નથી. 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા પૂર્વજોએ વિચાર્યું હશે કે, હવે એક નવું ભારત બનશે.
Asaduddin Owaisi, AIMIM: The Congress leader himself lost in Amethi & received victory in Wayanad. Isn't the 40% population of Wayanad Muslim? (09.06.2019) https://t.co/PxQJm7wWbz
આ ભારત ગાંધી, નહેરુ, આંબેડકર, આઝાદ અને તેમના કરોડો અનુયાયીઓનું થશે. મને પણ હજી આ દેશમાંથી પોતાનો હક મળવાની આશા છે. અમારે ભીખ નથી જોઈતી, અમે કોઈના પર નિર્ભર રહેવા નથી માંગતા. આ પહેલા ઓવૈસીએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, જો કોઈ એવું સમજતું હોય કે હિન્દુસ્તાનમાં વઝીર-એ-આઝમ 300 બેઠક જીતીને હિન્દુસ્તાન પર મનમાની કરશે તો તે નહીં થાય. બંધારણની વાત કરીને વઝીર-એ-આઝમને કહેવા માંગુ છું કે, ઓવૈસી તમારી સામે લડશે, મુસ્લિમોના ન્યાય માટે લડશે. હિન્દુસ્તાનને આબાદ રાખીશું. અમે અહીં ભાડુઆત નથી, બરાબરના હકદાર છીએ.
રાહુલે કેરળ અને ઉત્તરપ્રદેશની બે બેઠક પરથી ચૂંટણી લડી હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યાં છે, જ્યારે વાયનાડમાં તેઓ 4 લાખ 31 હજાર મતથી જીત્યા છે. જીત પછી રાહુલ ગાંધી વાયનાડના લોકોનો આભાર માનવા ત્રણ દિવસના કેરળ પ્રવાસે પહોંચ્યા હતા.પરંતુ આ જીતનો શ્રેય ઓવૈશીએ મુસલમાન મતદારોને આપ્યો છે.