ચોમાસા પહેલા આસામ, બિહાર અને કર્ણાટકમાં કુદરતી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
ચોમાસા પહેલા ભારતમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ
આસામ, બિહાર અને કર્ણાટકમાં કુદરતી આફત
પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન બેહાલ
આસામમાં પૂરથી 8 લાખ લોકો પ્રભાવિત
બિહારમાં વીજળી પડતા 33ના મોત
હજુ તો ચોમાસુ શરુ થવાને થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા કુદરતે તેનું રોદ્ર સ્વરુપ દેખાડવાનું શરુ કર્યું છે અને સૌથી પહેલા ત્રણ રાજ્યો આસામ, બિહાર અને કર્ણાટક કુદરતી આફતનો ભોગ બન્યા છે.
#WATCH | Flood situation in Assam continues to remain grim. Visuals from Nagaon where areas like Morikolong, Fauzdari Patty, and Milanpur remain flooded as Kolong River continues to flow above the danger level. pic.twitter.com/9WvxAu7ScS
આસામમાં પૂરને કારણે 14 લોકોના મોત
આસામાં ભારે વરસાદને પગલે ભારે પૂરની ખબર છે. પૂર સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. કછાર, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધી પૂરને કારણે 8 લાખ લોકો બેઘર થયાના અહેવાલ છે. 500 પરિવારો રેલવે ટ્રેક પર જીવન વીતાવવા મજબૂર બન્યા છે.
Bihar| We are prepared for disaster. DMs alerted to coordinate with all depts. Ambulances, hospitals ready. Unfortunate that 34 died due to storm (& lightning). Gave Rs 4 lakh to 16 aggrieved families, 18 others will receive amounts soon: Deputy CM Renu Devi pic.twitter.com/khEKVYVlmB
કર્ણાટકમાં ભારે પૂર
કર્ણાટકમાં પણ આ અઠવાડિયે ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું. બિહારમાં વીજળી અને વાવાઝોડા વચ્ચે 33 લોકોના મોત થયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના ચાર જિલ્લા - નાગાંવ, હોજાઈ, કછાર અને દરરંગની સ્થિતિ ગંભીર છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે અહેવાલ આપ્યો છે કે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઇશાન ભારત ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. કર્ણાટકમાં પણ આ અઠવાડિયે ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું. બિહારમાં વીજળી અને વાવાઝોડા વચ્ચે 33 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.
Nagaon, Assam | Floodwaters entered Nagaon city submerging shops, swings at a fair venue. The fair was later shut down by the authorities pic.twitter.com/V33At9mOyV
બિહારમાં ભારે વરસાદ, વીજળી પડતા 33 લોકોના મોત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને લખ્યું, "રાજ્યના 16 જિલ્લામાં વાવાઝોડા અને વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે." તેમણે લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી હતી." મુખ્યમંત્રીએ કહ્યું કે, "ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો." સીએમે કહ્યું કે, તેમણે રાજ્યને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સૂચિબદ્ધ પગલાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ પણ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું, "આ ખૂબ જ દુ:ખદ છે કે બિહારના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભગવાન શોકગ્રસ્ત પરિવારોને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિયપણે વ્યસ્ત છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આસામના નાગાંવ જિલ્લામાં 3.36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કછાર જિલ્લામાં 1.66 લાખ, હોજાઈમાં 1.11 લાખ અને દરરંગ જિલ્લામાં 52,709 લોકો અસરગ્રસ્ત થયા છે.