— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 4, 2022
જૂનાગઢના કેશોદમાં રામનવમીના બેનર ફાડતા માથાકૂટ
જૂનાગઢના કેશોદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. કેશોદમાં રામનવમીના બેનર ફાડીનાંખવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. કેશોદ બસ સ્ટેશન રોડ પર રામનવમીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.જેને કેટલાક અસામાજિક તત્વોએ ફાડી નાંખતા સ્થાનિકોમાં ભારે રોષ લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવની જાણ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો થતાં તેઓ પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના ઉમટ્યા ટોળા
જૂનાગઢના કેશોદમાં કેટલાક અસામાજિક તત્વોએ રામનવમીના બેનર ફાડી નાંખાત ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને થતાં કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતાં. આમ કેશોદમાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા મોડી રાતે રામનવમીના બેનર ફાડી નાંખતાં સમગ્ર વિસ્તારમાં તણાવ પુર્વક થઈ જવા પામ્યો હતો.