જે દેશની ફરતે ત્રણ દિશામાં સમુદ્ર તટ હોય તે દેશની વિશેષ સુરક્ષાની જરૂર પડે છે. દુશ્મન કોઈ પણ વિસ્તામાંથી ઘુસણખોરી કરીને હુમલો કરી શકે છે. એવા સમયે દેશ પાસે મજબુત નૌ સેના હોવી આવશ્યક છે. ભારત આ બાબતમાં ખૂબ ગંભીર છે એટલે જ આઝાદી બાદ ભારતીય નૌ સેનાના વિકાસમાં કોઈ પણ કચાશ રાખવામાં નથી આવી. ત્યારે શું છે ભારતીય નેવી ? કેવી હોય છે તેની કેડર? જોઈએ આ અહેવાલમાં.
ભારતની આર્મીની ત્રીજી સૌથી અગત્યની પાંખ છે ભારતીય નેવી એટલે કે નૌ સેના. જેનો ચાર સોથી પણ વધુ વર્ષનો ગૌરવશાળી ઇતિહાર ન માત્ર દેશની સીમાનો રક્ષક છે પરંતુ દેશની સંસ્કૃતિનો પણ રક્ષક છે. 55 હજારથી પણ વધુ નૌ સેનિકો ધરાવતી ભારતીય નૌ સેના વિશ્વની સૌથી મોટી પાંચમી સમુદ્રી તાકાત છે.છેલ્લા કેટલાય વર્ષોથી નવસેનાનું આધુનિકિરણ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની દિશામાં એક મહત્વનું કદમ છે. ભારતીય નૌ સેનાનું ગઠન 1613માં થયું. પરંતુ દ્વિતિય વિશ્વ યુદ્ધ સમયે નૌ સેનાનો વિસ્તાર કરવામાં આવ્યો અને સૈનિકોની સંખ્યા 2 હજારથી વધારીને 30 હજાર કરવામાં આવી.. ત્યાર બાદ નૌ સેનાએ પોતાના વિકાસના વિવિધ આયામો સર કરવામાં પાછુ વાળીને નથી જોયું. નૌ સેનાની કામગીરીની વાત કરીએ તો ભારતીય નેવીની વિશેષતાની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે પરંતુ ભારતીય નેવીની એક પરંપરા એવી પણ છે જે તમને ધ્રુજાવી દેશે. વાત જાણે એમ છે કે જ્યારે કોઈ યુદ્ધની સ્થિતિમાં નેવીના જહાજને નુકશાન પહોંચે છે અને જહાજ ડુબવા લાગે છે ત્યારે તેના કેપ્ટન પોતાના સાથીદારોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ પોતે તે જહાજની સાથે જ જળ સમાધી લે છે. કારણ કે નૌ સેનાના કેપ્ટનને પોતાના જહાજ પ્રત્યે ખુબ લગાવ હોય છે જેથી તેના મુશ્કેલ સમયમાં પણ તેને એકલુ નથી છોડતા.
નૌ સેનાની કેડરની જો વાત કરવામાં આવે તો કર્મચારીની કક્ષામાં સી મેન ત્યાર બાદ લીડિંગ સી મેન એબલ સી મેન પેટી ઓફિસર ચીફ પેટી ઓફિસર માસ્ટર ચીફ ઓફિસર ક્લાસ-2 અને માસ્ટર ચીફ ઓફિસર ક્લાસ-1. જો અધિકારી કક્ષાની વાત કરવામાં આવે તો ચડતા ક્રમમાં સબ લેફ્ટનંટ ત્યારબાદ લેફ્ટનંટ લેફ્ટનંટ કમાન્ડર કમાન્ડર કેપ્ટન કોમોડોર રીયર એડમાઇરલ વાઇસ એડમાઇરલ એડમાઇરલ અને એડમાઇરલ ઓફ ધ ફ્લિટની રેંક હોય છે. એડમાઇરલ ઓફ ધ ફ્લિટએ નેવીની સર્વોચ્ચ રેંક છે.
સમુદ્ર માર્ગે દુશ્મનોનો ખાતમો કરતી અને યુદ્ધના સમયે સેનાની અન્ય બે પાંખોની મદદ માટે સદા હાજર રહેતી ભારતીય નેવી ભારતની સેનાની તાકાતમાં વધારો કરે છે. ભારતની નૌ સેના દેશની સમુદ્રી સીમાઓને સુરક્ષાની સાથે પોર્ટ પર થતા વ્યવહારો સંયુક્ત અભ્યાસ માનવીય મિશન ઇમરજન્સી રાહત વગેરેમાં પોતાની સેવા પુરી પાડીને દેશને સુરક્ષા પ્રદાન કરે છે.