તાજેતરમાં જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આવતા વર્ષ સુધીમાં મનુષ્યને અવકાશમાં મોકલવાની સિદ્ધિ હાંસલ કરશે.
તો શું હવે સામાન્ય લોકો પણ કરી શકશે સ્પેસની શેર ?
ભારતમાં ટૂંક સમયમાં સ્પેસ ટુરિઝમ શક્ય બનશે: કેન્દ્રીય મંત્રી
ISRO મિશન ગગનયાન હેઠળ માનવયુક્ત અવકાશ ઉડાન પર પણ કામ કરી રહ્યું છે
તો શું હવે સામાન્ય લોકો પણ કરી શકશે સ્પેસની શેર ! કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં સ્પેસ ટુરિઝમ શક્ય બનશે. તેમણે માહિતી આપી હતી કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO લો અર્થ ઓર્બિટમાં માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શન દ્વારા અવકાશ પ્રવાસન તરફ સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવાની પ્રક્રિયામાં છે.
સ્પેસ ટુરિઝમ હાલમાં ખૂબ ખર્ચાળ છે. આ વર્ષે એપ્રિલમાં અમેરિકન કંપની Axiom Space એ 3 બિઝનેસમેનને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISI)ની યાત્રા કરાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, એક યાત્રી પાસેથી લગભગ 420 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જોકે હાલમાં એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સ જેવી કંપનીઓ અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને આ સેક્ટરમાં માર્કેટ બનાવવામાં વ્યસ્ત છે.
શું કહ્યું કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ?
રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)એ પણ આ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી વધારવાની માંગ કરી છે. જેમાં અવકાશ પ્રવાસનનો સમાવેશ પણ સામેલ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ઈસરોએ અંતરિક્ષ પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોમાં 61 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંબંધોને આગળ ધપાવ્યો છે.
Space tourism to be possible very soon 🚀@isro is in the process of developing indigenous capabilities towards space tourism through the demonstration of human space flight capability to Low Earth Orbit (LEO): Union Minister @DrJitendraSinghpic.twitter.com/6tfjUcBRyP
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અવકાશ વિભાગ એક વ્યાપક સંકલિત અવકાશ નીતિ ઘડવાની પ્રક્રિયામાં છે. જે ખાનગી અવકાશ ઉદ્યોગની પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપશે. નોંધપાત્ર રીતે નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) એ અવકાશ વિભાગ હેઠળ અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા અને અધિકૃત કરવા માટે એક વિન્ડો એજન્સી છે. ISRO મિશન ગગનયાન હેઠળ તેની પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન પર પણ કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આવતા વર્ષ સુધીમાં મનુષ્યને અવકાશમાં મોકલવાની સિદ્ધિ હાંસલ કરશે.