અમદાવાદ શહેરના હેરેટિજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. AMC દ્વારા હેરિટેજની જાળવણી કરવાવામાં આવે છે. ત્યારે હવે હેરિટેજને બચાવવા માટે તંત્રે આદેશ આપ્યો છે.
હેરિટેજ મકાનોમાં નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને ખાડિયાની લખિયાની પોળમાં એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથધરી છે. જે હેરિટેજ મકાનને રીનોવેશન કરવામાં આવતુ નથી તેને તંત્રએ પાડવાની કામગીરી હાથ ધરી છે.
આ પહેલા 23 મકાનોને એસ્ટેટ વિભાગે સીલ પણ કર્યા હતા. આ મકાનોમાં હેરિટેજના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો. હેરિટેજ વારસાને 1 લાખ 25 હજાર ચોરસ મીટરના ભાવે વેચવામાં આવતો હતો.
અનેક વિસ્તારોમાં હેરિટેજ મકાનો વેચાઈ ગયા ત્યાં સુધી અધિકારીઓ મૌન રહ્યા, ત્યારે હવે મકાનોમાં કોમર્શિયલ બાંધકામ શરૂ થતા એસ્ટેટ વિભાગ જાગ્યું છે. આખરે હેરિટેજમાંથી કોમર્શિયલ બનેલા મકાનોને તોડી પડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.