PSI-ASIની ભરતીમાં દોડની પરીક્ષા બાદ 15 ગણા કેટેગરી પ્રમાણે ઉમેદવારોને પ્રાથમિક લેખિત કસોટી માટે ઉતીર્ણ કરવાના નિયમને રદ કરવાની માગણી
PSI અને ASIની ભરતી નિયમ ફેરફારનો વિરોધ કરાયો છે. અને જુની ભરતી નિયમ આધારે ભરતી કરવામા માગ કરાઇ છે. જેમાં ઓછી મિનિટમાં દોડ પુર્ણ કરનાર ઉમેદવાર લેખિત પરીક્ષા આપી શકશે. 25 મિનિટમા દોડ પુર્ણ કરનાર તમામ ઉમેદવાર પરીક્ષા આપી શકે તેવી માગ છે. અને ભરતીમાં વેટિંગ લિસ્ટની જોગવાઈ દૂર કરવા બાબતે પણ વિરોધ કરાઇ રહ્યો છે. ભરતીના નવા નિયમ દૂર નહિ થાય ઉગ્ર આંદોલનની ઉમેદવારોએ ચીમકી આપી છે.
PSI પરીક્ષામાં આ નિયમોનો કરે છે વિરોધ
PSI ભરતીના નિયમમાં જે વિરોધ ઉઠ્યો છે તેમાં પોલીસ વિભાગની PSI-ASIની ભરતીમાં દોડની પરીક્ષા બાદ 15 ગણા કેટેગરી પ્રમાણે ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉતીર્ણ કરવાના નિયમને રદ કરવાની માગણી છે. જેના બદલે જે લોકો દોડની પરીક્ષા પાસ કરે તે તમામને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે તેવી માગણી કરાઈ રહી છે. સાથે અન્ય પરીક્ષા માફક પ્રતિક્ષા યાદી એટલે વેઈટિિંગ લિસ્ટ રાખવામાં આવે તેવી માગણી છે. જેથી જે ઉમેદવાર પરીક્ષા પાસ કર્યા પછી નોકરી કરવા માગતો નથી. તેમના સ્થાને અન્ય ઉમેદવારને નોકરી પ્રાપ્ત થઈ શકે.
સરકારને આટલી ઉતાવડ કેમ છેઃ યુવરાજ જાડેજા
બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલનકારી નેતા યુવરાજ જાડેજા ફરી PSI અને ASIની પરીક્ષાના ભરતી નિયમનો વિરોધ લઈને સામે આવ્યા છે. યુવરાજ જાડેજાએ કહ્યું કે, હાલ ઉનાળાની મોસમ ચાલી રહી છે. સાથે કોરોનાના કારણે ગ્રાઉન્ડો પણ બંધ છે. આ પ્રકારના સમયમાં વિદ્યાર્થી ફિઝીકલ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકશે. સાથે યુવરાજે કહ્યું કે, સરકારને આટલી જલ્દી પરીક્ષા લેવાની ઉતાવડ કેમ છે. એક તરફ લોકો ફોર્મ ભરી રહ્યા છે. બીજી તરફ સરકારે ફિઝીકલ પરીક્ષાની જાહેરાત પણ કરી દીધી છે.
યુવરાજ જાડેજાએ આપી આંદોલનની ચીમકી
બિનસચિવાલય પરીક્ષામાં પેપર લીક બાદ વિદ્યાર્થીઓનું મોટું આંદોલન ઉભું થયું હતું. અને સરકારે ભરતી પર રોક લગાવી હતી. ત્યારે મીડિયામાં એક નામ રોજબરોજ સામે આવી રહ્યું હતું. તે યુવરાજ જાડેજા ફરી PSIની ભરતીના નિયમનો લઈ સામે આવ્યા છે. યુવરાજે કહ્યું કે, નવા નિયમોમાં વિસંગતતા જોવા મળી રહી છે. બીજી તરફ પરીક્ષાને લઈ સરકાર ઉતાવડ પણ કરી રહી છે. હાલ કોરોનાનો સમય પણ ચાલી રહ્યો છે. જેને લઈને પણ કેટલીક મુશ્કેલી તૈયારી કરવામાં વિદ્યાર્થીઓને પડી રહી છે. તો યુવરાજે કહ્યું કે, સરકાર નિયમોમાં ફેરફાર કરશે નહીં તો, ગાંધીનગરમાં ફરી આંદોલન ઉભું થઈ શકે છે.