ગુજરાત રાજ્યના કંડલા પોર્ટ ઉપરથી છેલ્લા કેટલાક સમયથી સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહેલ ઘેટાં બકરાના નિકાસ મુદ્દે વારંવાર હિન્દૂ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.. તેમ છતાં નિકાસ યથાવત રહેતા ફરી એકવાર હિન્દૂ સમાજ રોષે ભરાયો છે... કોઈ પણ રીતે ગુજરાત અને દેશભરના પોર્ટ ઉપરથી ઘેટાં બકરાનું નિકાસ કરવાનું બંધ કરવામાં આવે તે માટે ફરી હિન્દૂઓએ અને જીવદયાપ્રેમીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે.. ધાર્મિક આગેવાનો અને જીવદયાપ્રેમીઓ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાતના કંડલા પોર્ટ અને દેશભરના અલગ અલગ પોર્ટ ઉપરથી થઈ રહેલ જીવતા ઘેટાં બકરાની નિકાસ પર રોક લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.