કોંગ્રેસે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે ગયાં વર્ષે બજેટ પર વાહવાહી કરી હતી પરંતુ વાસ્તવિકતા સામે આવી ગઈ કારણકે તેમની રણનીતિ 'વાયદાઓ વધુ અને કામ ઓછું કરનારી છે..'
બજેટ 2023 અંગે વિપક્ષનાં પ્રતિભાવો
કેટલાકે કર્યાં વખાણ તો કેટલાકે પ્રહાર
ખરગે, જયરામ રમેશ અને ફારૂક અબ્દૂલ્લાએ કરી ટિપ્પણી
દેશની નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 1 ફેબ્રુઆરી 2023નાં રોજ બજેટ રજૂ કર્યું. આ બજેટ પર વિપક્ષી નેતાઓની તરફથી મળેલી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કેટલાક નેતાઓ બજેટનાં વખાણ કરે છે તો કેટલાક બજેટને ચૂંટણી બજેટ કરાર કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ તેને જુમલા બજેટ જણાવ્યું છે.
'...આ બજેટમાં કંઈ જ નથી'
ખરગેએ કહ્યું કે 2-4 રાજ્યની ચૂંટણીને જોઈને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ જુમલો બજેટ છે. મોંઘવારીને રોકવા માટે આ બજેટમાં કંઈ જ નથી. રોજગાર માટે પણ આ બજેટમાં કંઈ જ નથી. સરકારી ભરતીઓને લઈને આ બજેટમાં કંઈ જ નથી. ગરીબો માટે આ બજેટમાં કંઈ જ નથી.
ફારૂક અબ્દૂલ્લાએ બજેટનાં કર્યાં વખાણ
બજેટ પર જમ્મૂ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દૂલ્લાએ કહ્યું કે બજેટમાં મધ્યમ વર્ગને મદદ આપવામાં આવી છે, બધાંને કંઈને કંઈ આપવામાં આવ્યું છે. દોઢ કલાક સુધી અમે બજેટને સાંભળ્યું છે. મોકો આવશે ત્યારે અમે આ મુદે વાત કરીશું.
'ઓવર પ્રોમિસ, અંડર ડિલીવરી'- કોંગ્રેસનાં જયરામ રમેશ
કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કહ્યું કે 'છેલ્લાં વર્ષનાં બજેટમાં કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષા, મનરેગા અને અનુસૂચિત જાતિયોનાં કલ્યાણ માટે કરવામાં આવે ફાળવણીની પ્રશંસા કરવામાં આવી હતી. આજે હકીકત બધાંની સામે છે. ફાળવણીની રાશિની તુલનામાં ખર્ચ ઘણો ઓછો છે. આ હેડલાઈન મેનેજમેન્ટ માટે પીએમ મોદીની OPUD સ્ટ્રેટેજી છે. ઓવર પ્રોમિસ, અંડર ડિલીવરી.'
'તેમાં માત્ર ફેન્સી ઘોષણાઓ છે..'
કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે 'આ બજેટ દેશની વાસ્તવિક ભાવનાઓને સંબોધિત નથી કરી રહ્યું જે બેરોજગારી અને મોંઘવારી છે. તેમાં માત્ર ફેન્સી ઘોષણાઓ છે જે પહેલાં પણ કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજનાથી માત્ર બીમા કંપનીઓને ફાયદો થયો છે ખેડૂતોને નહીં.'