મોનસૂન સત્ર શરુ થવાના પહેલા જ દિવસે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થવાની છે જેને લઈને વિપક્ષની પાર્ટીઓએ એકતા દર્શાવી છે. આ મામલે માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષ પોતાનો સંયુક્ત ઉમેદવાર ઉતારવા જઈ રહ્યું છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે આ નિર્ણય કોંગ્રેસની એક બેઠકમાં લેવામાં આવ્યો છે.
હરિવંશ નારાયણ સિંહનો પહેલો કાર્યકાળ આ વર્ષ એપ્રિલમાં પૂરો થઇ ગયો
માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષ પોતાનો સંયુક્ત ઉમેદવાર ઉતારવા જઈ રહ્યું છે
કોરોના વાયરસ, લોકડાઉન, અર્થવ્યવસ્થા પર સરકારને ઘેરવાની તૈયારી
મોનસૂન સેશનને લઈને રણનીતિ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બેઠક કરવામાં આવી. 14 સપ્ટેમ્બરના રોજ શરુ થઇ રહેલા સત્રમાં કેન્દ્ર સરકારને ભારત ચીન મુદ્દા પર ઘેરવાની તૈયારી ચાલી રહી છે. હરિવંશ નારાયણ સિંહનો પહેલો કાર્યકાળ આ વર્ષ એપ્રિલમાં પૂરો થઇ ગયો છે. અને તે બીજી વાર રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે NDA ફરીથી હરિવંશ રાય પર જ પોતાની પસંદગી ઉતારી શકે છે.
આ વર્ષે 14મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી થવાની છે અને તેના માટે આવેદન ભરવાનો સમય 11 તારીખ સુધીનો છે. લોકસભાના પરિણામ આવ્યા ત્યારથી જ ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી છે. વિપક્ષ આ સત્રમાં એકતા બતાવવા માટે કવાયત હાથ ધરી રહ્યું છે. કોંગ્રેસની બેઠકમાં કોરોના વાયરસ, લોકડાઉન, ફેસબુક મુદ્દો, અર્થવ્યવસ્થા જેવા મોટા મુદ્દાઓ ઉઠાવીને મોદી સરકારને ઘેરવા તૈયારીઓ કરી રહ્યું છે.
નોંધનીય છે કે આ બેઠકમાં મનમોહન સિંહ, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, જયરામ રમેશ સહીતના નેતાઓ સામેલ થયા હતા. આ સિવાય થોડા દિવસ પહેલા એક બેઠકમાં મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન જેવા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ એકતા દર્શાવી હતી.