રાકેશ ટિકૈતે કહ્યું કે, લઘુત્તમ ટેકાનો ભાવને લઈને જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી આંદોલન પૂર્ણ કરવાની કોઈ યોજના નથી. MSP અંગે કાયદો બનાવવો પડશે.
મોદી સરકાર સામે ટિકૈતે બાયો ચઢાવી
MSP પર કાયદો નહીં બને ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે
29 નવેમ્બરે ટ્રેકટરથી કરશે દિલ્હી સુધીની કૂચ કરશે
जब तक संसद का सत्र चलेगा तब तक सरकार के पास सोचने और समझने का समय है। आगे आंदोलन कैसे चलाना है उसका फ़ैसला हम संसद चलने पर लेंगे। आंदोलन की रूपरेखा क्या होगी उसका फ़ैसला भी 27 नवंबर को हाने वाली संयुक्त किसान मौर्चा की बैठक में होगा: गाज़ीपुर बॉर्डर से किसान नेता राकेश टिकैत pic.twitter.com/Gw2LbAM4ii
કૃષિ કાયદાઓના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આંદોલનના એક વર્ષ પૂર્ણ થતાં રાકેશ ટિકૈતે સાફ જણાવ્યું હતું કે, આ આંદોલન જલ્દીથી પૂર્ણ કરવાનો કોઈ પ્લાન નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સરકાર લઘુત્તમ ટેકાના ભાવને લઈને કાયદો નહીં બનાવે ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ કરવામાં નહીં આવે.
MSP અંગે કાયદોતો બનાવવો જ પડશે
રાકેશ ટિકૈતે મંચ પરથી એલાન કર્યું કે, એમએસપીને લઈને કાયદો બનાવવો જ પડશે. તેમણે સાફ કહ્યું કે, 29 નવેમ્બરના રોજ અમે ટ્રેકટર લઈને દિલ્હી જશે. માર્ગો ખુલ્લા રહ્યાં તો 500 ખેડૂતો ટ્રેકટર સાથે દિલ્હી જશે ટિકૈતે ખેડૂતો ને 10 દિવસ સુધી તૈયાર રહેવા આહવાન કર્યું હતું કે, બીજેપીના લોકો કાયદો પાછો ખેંચો તો પાછો ખેંચો રાકેશ ટિકૈતે કહ્યું કે કોઈ કેટલું પણ પરેશાન કરે પણ આપણે તૈયાર રહેવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આમનો મુકાબલો આપણે કરવો પડશે. રાકેશ ટિકૈતે પોતાનો આગળના કાર્યક્રમ અંગે ચર્ચા કરતા કહ્યું કે, કાલે તેઓ અમૃતસર જઈ રહ્યાં છે. અને ત્યારબાદ મુંબઈ જઈ રહ્યાં છે. 29 નવેમ્બરે ફરીથી તમારી વચ્ચે પાછો ફરીશ
Farmers in large numbers gathered at the Singhu border to observe the first anniversary of protest against the three farm laws pic.twitter.com/gDBjr2VLgN
આંદોલને એક વર્ષ પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયાં
રાકેશ ટિકૈતના ભાઈ અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, પ્રધાનમંત્રી બહુ સારી પહેલ કરી છે. જેના માટે અમે તેમનો આભાર પ્રગટ કરે છે. ઉલ્લખેની છે કે, રાકેશ ટિકૈતે પહેલા પણ ચોખવટ કરી હતી કે, એમએસપીને લઈને કાયદો નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, આંદોલનના એક વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીની બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયાં છે. દિલ્હીની બોર્ડર પર પહોંચ્યાં છે.
ખેડૂતોનું પણ આવું જ કહેવું છે
ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે, જ્યાં સુધી અમારી માંગણીઓ માનવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, અમારી છ માંથી એક માંગ સરકરે માની છે. એમએસપીને લઈને કાયદો બનાવવા માટે ઈલેક્ટ્રિકસિટી બીલ પાછું લેવા સહિત પાંચ માંગો હજી પણ બાકી છે. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ નહીં કરાઈ