ભારતને સંતોની ભુમી કહેવામાં આવે છે. ભારતમાં ઘણાં એવા ધાર્મિક સ્થળો છે, જેની કિર્તી ચારો તરફ ફેલાયેલી છે. આજે અમે તમને જણાવશું એવા જ એક અનોખા ધાર્મિક સ્થળ વિશે જ્યાં માનતા પુરી થયા બાદ દેવતાને પ્રસાદમાં લાડું કે મિઠાઇ નહીં પણ પ્રસાદ સ્વરૂપે દારૂ ચડાવવામાં આવે છે.
આ જગ્યા છે દુમકાના પહાડી બાબા ચુટોનાથ. ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળથી હજારો લોકો માનતા માગવા અહીં આવે છે. આ બાબા પહાડ પર વસ્યા તો પહાડી બાબાના નામે ઓળખાય છે. આ મંદિરમાં બ્રાહ્મણ પુજારી નહીં પણ ઘટવાલ સમુદાયના લોકો પુજા કરે છે.
શ્રધ્ધાળુઓએ માનેલી માનતા પૂર્ણ થયા બાદ બાબાને મહુડામાંથી તૈયાર કરેલો દેશી દારૂ અર્પણ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, આ પ્રસાદ કોઇ ઘરે લઇ જઇ શકતું નથી અને બાજુમાં આવેલ મયૂરાલક્ષી નદીના તટ પર આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દારૂ ઉપરાંત અહીં બાબાને વર્ષમાં એકવાર બકરાની બલી પણ ચડાવવામાં આવે છે. જ્યારે અહીં આવતા શ્રધ્ધાળુઓની તમામ મનો કામના બાબા પૂર્ણ કરે છે.