કેન્દ્ર સરકાર 'વન નેશન વન રાશનકાર્ડ' લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેનાથી લાભાર્થી દેશના કોઇ પણ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (PDS) દુકાનથી રાશન ખરીદી શકશે.
આ યોજનાનો સૌથી વધારે ફાયદો એ લોકોને થશે જેઓ બીજા રાજ્યમાં નોકરી કરે છે. જોકે આ માટે 1 ઓગ્સ્ટથી દેશના ચાર રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાના અને ગુજરાતમાં 'વન નેશન વન રાશનકાર્ડ' નું ટ્રાયલ શરૂ કરી દીધુ છે. આ યોજનાને લાગૂ કરવા માટે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ગુરુવારે અન્ન સચિવ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અનુસાર, આ યોજનાથી સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. આ હેઠળ સામાન્ય જનતાને હવે કોઇ PDS દુકાનથી બંધાયેલા નહી રહે. દુકાન માલિકો પર નિર્ભરતા ઘટશે અને ભષ્ટ્રાચારમાં પણ ઘટાડો થશે.
રામવિલાસ પાસવાને કહ્યુ કે, આ યોજનાથી સૌથી વધારે ફાયદો એ લોકોને થશે, જેઓ નોકરી કરવા માટે બીજા રાજ્યોમાં રહે છે. મતલબ સ્પષ્ટ છે કે, જો તમે બિહાર-ઉત્તરપ્રદેશથી હવે દિલ્હીમાં નોકરી કરવા માટે આવ્યા છો તો તમને સરળતાથી PDS દુકાન પર રાશન મળી જશે.
હાલના સમયમાં આંઘ્ર પ્રદેશ, હરિયાણા સહિત ઘણા પ્રદેશોમાં 00% દુકાનો પર POS (પોઇન્ટ ઓફ સેલ) મશીનો ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજનાને અમલમાં મૂકવા માટે 100% PDS દુકાનો પર POS લગાવવા પડશે.
આ રાજ્યોમાં લાગૂ થશે IMPDS
ગ્રાહક બાબતોના મંત્રાલયે જારી કરેલા નિવેદન અનુસાર, ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ PDS (IMPDS)ના હેઠળ, ઘણા રાજ્યોમાં ખોરાક અને જાહેર વિતરણ હેઠળ કોઈપણ જિલ્લામાંથી રાશન ખરીદી શકે છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.