કશ્મીરમાં ઉગ્રવાદીઓ બાદ વધુ એક સમસ્યા ખુબ જ તેજીથી વધી રહી છે જોકે આર્મીના જવાનોની બાજ નજર આ સમસ્યા સામે લડી રહી છે. વાત બંદુકની ગોડી બાદ હવે નશિલા સેવનની છે. ધરતીના સ્વર્ગ સમાન કશ્મીર ઘાટીના 40 ટકા યુવાનો હવે નશાને રવાડે ચડ્યા છે.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં આ રિપોર્ટ સામે આવ્યો છે. સ્ટડી મુજબ એક નજર કરીએ તો જમ્મુમાં જે ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું છે. તે પાકિસ્તાનથી લાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આતંકીઓ હિંસા અને નિરાશાથી ઘેરાયેલા યુવાનોને ટાર્ગેટ કરે છે અને તેમને ડ્રગ્સ પણ સપ્લાય કરે છે.
આ સ્ટડીમાં 2008થી અત્યાર સુધીનો એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 40 ટકા જેટલા યુવાનોનો ડ્રગ્સની આફત સામે જજુમી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે સેના પણ યુવાનોને ડ્રગ્સના સેવથી રોકવાના પ્રયાસો શરૂ કર્યા છે.
બારામુલ્લાના માજીદ વિસ્તારમાં આર્મીની ટીમ યુવાનો સાથે કાઉન્સીલીંગ કરે છે. જેમાં પ્રતિદીન 20 જેટલા યુવાનો સારવાર માટે આવે છે. સેનાના આ પ્રયત્નોથી અંદાજે 3800 યુવાનોએ નશાનું સેવન છોડી દિધુ છે અને હવે તેવા યુવાનો સામાન્ય જીવન જીવી રહ્યા છે.