ભારતીય સેનાના સ્વરૂપમાં ફેરફારના પ્રયત્નો હેઠળ સેનાના લાજિસ્ટક ટેલને નાની કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય સેનાથી 1 લાખ જવાન ઘટાડવામાં આવશે.
ભારતીય સેનાથી ઘટાડવામાં આવશે 1 લાખ જવાન
80 કરી શકશે 120 લોકોનું કામ
સૈનિકોને તકનીકથી સજ્જ કરવામાં ખર્ચ કરવામાં આવશે
સેનામાં જવાનો ઘટાડવામાં આવશે જે હેઠળ સેનાની લડાકૂ ટુકડિયોની સાથે સપ્લાઈ અને સપોર્ટમાં લાગેલા જવાનોની સંખ્યામાં ઘટાડો થશે. સેનાએ આગામી 3-4 વર્ષની અંદર અંદાજિત એક લાખ જવાનોને ઓછા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
સેનાના ઉચ્ચ અધિકારીઓએ હાલમાં રક્ષા મંત્રાલયને સંલગ્ન સંસદીય સમિતિને આ માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, લડાકૂ જવાનો(ઇન્ફ્રેન્ટ્રી) પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેમને આધુનિક ટેકનીકથી સજ્જ કરવામાં આવશે. કારણ કે બોર્ડરની સુરક્ષાની જવાબદારી તેમના પર છે. તેમણે અત્યાધુનિક ટેકનિક ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ટૂથ ટૂ ટેલ રેશિયોમાં અછત કરવામાં આવશે.
આનો મતલબ છે કે સપ્લાઈ અને સપોર્ટ કાર્યમાં લાગેલા જવાનોની સંખ્યા ઓછી કરવામાં આવશે. જોકે, જવાનોની લડાકૂ ટુકડિયોની સાથે હજુ એક નિશ્ચિત સંખ્યામાં સપ્લાઈ અને સપોર્ટ ટીમ રહે છે. જે તમામ સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. પરંતુ જે પ્રકારથી સેનામાં અત્યાધુનિક ટેકનિકોનો ઉપયોગ વધી રહ્યો છે, તેમાં આ પ્રકારની વ્યવસ્થાને હવે બીન જરૂરી માનવામાં આવી રહ્યું છે.
80 કરી શકશે 120 લોકોનું કામ
સંસદીય સમિતિનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે, સેનાની એક લડાકૂ કંપનીમાં હાલ 120 લોકો હોય છે. પરંતુ જો આ કંપનીને ટેક્નીકથી લેસ કરી દેવામાં આવે તો તેમનું કામ 80 લોકો કરી શકે છે. જેમાં 120 લોકો દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે.
સૈનિકોને તકનીકથી સજ્જ કરવામાં ખર્ચ કરવામાં આવશે
સેના તરફતી કહેવામાં આવ્યું છે કે, જનરલ વી.પી. મલિક જ્યારે સેના પ્રમુખ હતા તો 50 હજાર લોકોની અછત હતી પરંતુ હવે આગામી ત્રણ-ચાર વર્ષોમાં એક લાખ લોકો ઓછા કરવામાં આવી શકે છે. આનાથી રૂપિયા બચશે અને તે સૈનિકોને તકનીકથી લેસ કરવામાં ખર્ચ કરી શકાશે. સમિતિનો આ રિપોર્ટ હાલમાં સંપન્ન થયેલા સત્ર દરમિયાન સંસદમાં રજૂ થઇ ચૂક્યો છે.