એક સમયે ભારતનું અંગ અને હવે ભારતનું દુશ્મન બની બેઠેલું પાકિસ્તાન પોતાની હલકાઈ છોડાવનું નામ નથી લઈ રહ્યું. એક તરફ જવાનના મૃતદેહ સાથે બર્બરતા આચરી. તો બીજી તરફ શાંતિની વાતો કરી રહ્યું છે પરંતુ ભારતે પણ નક્કી કરી લીધું છે કે પાકિસ્તાનને તેની ઔકાત બતાવવી જ પડશે. આ માટે તૈયારીઓમાં પણ લાગી ગયું છે. ત્યારે પાકિસ્તાનની નફ્ફટ્ટાઈ સામે કેવો છે ભારતીઓમાં રોષ જોઈએ આ અહેવાલમાં.
એક તરફ નાપાક પાકિસ્તાન સરહદ પર BSFના જવાનની નિર્મમ હત્યા કરી તેના મૃતદેહ સાથે બર્બરતા આચરે છે. તો બીજી તરફ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પ્રધાનમંત્રી મોદીની પત્ર લખી વાતચીતની ભલામણો કરી ઘા પર તેલ રેડી રહ્યા છે. આ બંને તસ્વિર એક ઘા અને બે ટૂંકળા સમાન છે. એક તરફ વાતચીની મીઠી-મીઠી વાતો કરે છે. બીજી તરફ જવાનના મૃતદેહ સાથે બર્બરતા આચની પોતાની નફ્ફટ્ટાઈ જાહેર કરે છે.
જોકે નાપાક પાકિસ્તાનને તેની ઔકાત બતાવવાની દિશામાં ભારતે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.. દેશ વાસીઓમાં વધરા ક્રોધ વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે પણ BSFના DG સાથે વાર્તાલાપ કર્યો અને પાકિસ્તાની સેનાને તેની જ ભાષામાં જવાબ આપવા આદશે કર્યો છે.
મહત્વનું છે કે બીએસએફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમાર જમ્મુ કશ્મીરના રામપુર સેક્ટરમાં તૈનાત હતા. મંગળવારે કેટલાક જવાનોએ સીમા પર વધેલી ઘાસને હટાવવાનો નિર્ણય કર્યો. પરંતુ તે જ સમયે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ફાયરિંગ કર્યું.
જોકે આ અંગે ભારતીય જવાનોએ પાકિસ્તાની અધિકારીઓને અનેક ફોન પણ કર્યા તો કોઈ જવાબ ન મળ્યો અને જ્યારે જવાબ મળ્યો તો ફાયરિંગ ન કરવાનો બણગો ફૂક્યો પરંતુ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમારનો મૃતહેદ મળતાની સાથે જ પાકિસ્તાનના પાપનો પણ ખુલાસો થયો કારણ કે જવાનના મૃતહેદ પર ત્રણ ગોળીઓના નિશાન હતા.
શરીરના અન્ય ભાગમાં પણ ઠેર ઠેર ઇજા પહોંચાડવમાં આવી હતી. હદ તો એ છે કે જવાનનું ગળુ ધડથી અલગ કરવાનો પણ પ્રયાસ કર્યાના પણ નિશાન છે પરંતુ પાકિસ્તાને આવી નિર્મમતા પહેલી વાર નથી કરી. આ પહેલા પણ અનેક વખત નાપાક પાકિસ્તાન આવી હરકત કરી ચૂક્યું છે.
ભારતના જવાનોએ ઉરી હુમલાનો બદલો લેવા માટે સર્જીક્લ ટ્રાઇક કરી હતી અને આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. છતાં પણ ભારતના જવાનોએ તેમના શબ સાથે કોઇ જ છેડછાડ કરી ન હતી. મહત્વનું છે કે એક તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી મોદીને ચિઠ્ઠી લખી વાતચીત કરવાની ભલામણ કરી છે.
ચિઠ્ઠીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રસભાની બેઠકમાં બંને પડોશીયો વચ્ચે વાતચીત શરૂ કરવામાં આવે તેવી માંગ પણ છે. બીજી તરફ પીઠ પાછળ પાકિસ્તાની સેના ઘા ભોંકી રહી છે. જેના લઈને દેશમાં ગુસ્સાનો માહોલ છે.
દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે ટ્વીટ પર પોતાનો ગુસ્સો ઠાલવતા લખ્યું કે પ્રધાનમંત્રી જી જવાબ આપે કે ક્યાં સુધી ભારતના સૈનિકો પર અત્યાચાર ચાલુ રહેશે? ક્યાં સુધી ભારત પાકિસ્તાન સામે લાચાર રહેશે? આખરે શું મજબૂરી છે પ્રધાનમંત્રીની? માત્ર કેજરીવાલ જ નહીં પરંતુ દેશની તમામ જનતા અને નેતાઓ જવાબ ઈચ્છી રહી છે અને રાહ જોઈ રહી છે કે ક્યારે પાકિસ્તાનને તેની ઔકાત બતાવવા ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરશે અને ક્યારે જવાન નરેન્દ્રસિંહનો બદલો લેશે.