સુરતના સરથાણામાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રિય રાજ્ય મંત્રીએ કહ્યું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. અને કોરોનામાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બંધ રહી નથી તેઓની કોઈ ફરિયાદ પણ આવી નથી. કેન્દ્ર સરકાર આર્થિક નિર્ણયો સામૂહિક રીતે લેવાય છે. બિઝનેસ ગ્રો માટે જે કનેક્ટિવિટી જોઈશે તે અમે આપી રહ્યા છે. ઇઝ ઓફ ડુઈંગ થાય એ જરૂરી છે. સમસ્યાનું નિરાકરણ આવશે તેના માટે યોગ્ય રજૂઆતો થવી જરૂરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેક ઇન ઇન્ડિયામાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો રોલ મહત્વનો રહેશે.ટેક્સટાઇલ ઉદ્યોગ હંમેશા વિભાજીત રહ્યો છે. જ્યારે ડાયમંડ ઉદ્યોગ હંમેશા એકજુથ રહ્યો છે.
ઈચ્છાપોરમાં જ્વેલરી ટ્રેડિંગ મોલ થશે સાકાર
કેન્દ્રિય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં જોડાયેલા નવયુવાનોના જુસ્સા અને સાહસિકતાના કારણે આ સેક્ટરને ગતિ મળી છે. હીરા ઉદ્યોગમાં કટિંગ, પોલિશિંગનું હબ એવું સુરત શહેર 'સુરત ડાયમંડ બુર્સ' શરૂ થયાં બાદ ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે. હવે આવનારા દિવસોમાં ઈચ્છાપોર ખાતે જ્વેલરી ટ્રેડિંગ મોલ પણ સાકાર થવાં જઈ રહ્યો છે, ત્યારે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની વેલ્યુ ચેઈન ખરા અર્થમાં પૂર્ણ થશે. સુરતમાં 45થી વધુ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ધમધમી રહ્યાં છે, જે આ ઉદ્યોગનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવે છે