દેશ આજે તેનો 74 મો સ્વાધીનતા દિવસ મનાવી રહ્યો છે, ત્યારે ભારતના ચીન ખાતેના રાજદૂતે ત્યાં નિવાસ કરતાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધતા કહ્યું હતું કે હાલમાં ભારત બે મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે, અને આ સ્થિતિ સ્વાધીનતા સંઘર્ષના સમય જેવી જ છે.
ચીન ખાતેના ભારતીય રાજદૂતે કર્યું ત્યાંનાં ભારતીયોને સંબોધન
વિક્રમ મિસરીએ કહ્યું કે ભારત કરી રહ્યું છે બે પડકારોનો સામનો
આ સ્થિતિ ભારત માટે આઝાદીના સંઘર્ષથી અલગ નથી
દેશના 74 માં સ્વતંત્રતા દિવસ પર ઈન્ડિયા હાઉસ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે, ચીન ખાતેના ભારતીય રાજદૂત વિક્રમ મિસરીએ ચીનમાં વિદેશી ભારતીયોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વિશે વાત કરી હતી. સાથે જ કહ્યું હતું કે દેશની અંદર કોરોના અને સીમા પર તણાવ આમ ભારત હાલમાં બે મોરચે બહુ મોટા. પડકારોનો સામનો કરી રહ્યો છે.
શું કહ્યું વિક્રમ મિસરીએ?
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ શનિવારે કહ્યું હતું કે, કોવિડ -19 સાથે દેશની સરહદે બહુ જ તણાવ હોવાને કારણે 2020 નું વર્ષ ભારત માટે ખૂબ જ કઠીન રહ્યું છે. દેશને 'ટ્વીન ચેલેન્જ'નો સામનો કરવો પડ્યો હતો. દેશના ૭૪માં સ્વાતંત્ર્ય દિન પર ઈન્ડિયા હાઉસ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે, મિસરીએ ચીનમાં વિદેશી ભારતીયો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના વિશે વાત કરી હતી.
કોવિડ -19 મહામારી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મુલતવી રાખવાના કારણે, ભારતીય પરિવારોના ઘણા સભ્યો ને વિઝાના મુદ્દાને કારણે ભારતમાં રોકાઈ જવું પડ્યું છે. તેમણે આજે ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો અને શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનને વાંચ્યા બાદ મિસરીએ સરહદ પર આક્રમક વલણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે પરોક્ષ રીતે તેમણે પૂર્વી લદ્દાખમાં ચીન-ભારત સરહદ પરની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો. મિસરીએ કહ્યું કે, તમે રાષ્ટ્રપતિનું સંબોધન હમણાં જ સાંભળ્યું છે, 2020 નું વર્ષ ખૂબ આસમાન રહ્યું છે. ભારતમાં, અમને કોવિડ -19 ના બેવડા પડકાર અને આપણી સરહદો પર આક્રમક વલણનો સામનો કરવો પડ્યો હતો. "મને લાગે છે કે આપણે બધાં ભારતીયો જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે આઝાદીની લડત દરમિયાન ઉભી થયેલી પરિસ્થિતિ હતી." તેનાથી અલગ નથી.
મિસરીએ કહ્યું કે, સાથે મળીને આપણે પડકારોનો સામનો કરી શકીએ, આ માટે સમાજના તમામ વર્ગોએ એક સાથે આવવાની જરૂર છે. તેમણે કહ્યું કે રોગચાળાના લીધે કઠિન હોવા છતાં, સરકારે છેલ્લા સાત મહિનામાં શિક્ષણ, કરવેરા, મજૂર, કૃષિ અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં સુધારા તરફી પગલા લીધા છે. રીફોર્મ્સ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. મિસરીએ જણાવ્યું હતું કે "મને આ અભિયાન અને સુધારાની ભાવનાથી વિશ્વાસ છે કે આપણી અર્થવ્યવસ્થા હાલના પડકારોને દૂર કરશે.
ભારતીય રાજદૂતાવાસમાં આજે સ્વાધીનતા દિવસ નિમિત્તે ટ્રેડિશનલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું,અને એમ્બેસીના તમામ સ્ટાફે એકી સાથે વિવિધ તસવીરો પણ ખેંચાવી હતી. ભારતીય દૂતવાસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ તસવીરો અને વિડિયોને શેર કરાયા હતા.
આ સાથે જ રાજદૂત વિક્રમ મિસરી તેમના દૂતાવાસ ખાતેના ત્રણેય સેનાના અટેચી સાથે હાથ મિલાવીને તેમનુંઅભવડાં કરતાં પણ નજરે પડ્યા હતા. આ બાબતે મિસરીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે હમેશા દેશના જાંબાઝો સાથે દેશનો સ્વતંત્રતા દિવસ મનાવું એ ગર્વની બાબત હોય છે.