કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ડેલ્ટાથી પણ વધારે તેજીથી ફેલાઈ શકે છે. આ વાતની આશંકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વ્યક્ત કરી છે.
ઓમિક્રોન પહેલા સંક્રમિત થઈ ચૂકેલા અથવા રસી લઈ ચૂકેલા વ્યક્તિને સરળતાથી શિકાર બનાવશે
ઓમિક્રોન વાયરસથી ફરી સંક્રમિત થવાનું જોખમ વધારે - WHO
ઓમિક્રોનની ચેન તોડવા માટે બે ગણા પ્રયત્નો કરવા પડશે નહીંતર...- માઈકલ
ઓમિક્રોન પહેલા સંક્રમિત થઈ ચૂકેલા અથવા રસી લઈ ચૂકેલા વ્યક્તિને સરળતાથી શિકાર બનાવશે
સંગઠને કહ્યું કે શરુઆતના ડેટાથી ખબર પડે છે કે ઓમિક્રોન પહેલા વાયરસથી સંક્રમિત થઈ ચૂકેલા અથવા રસી લઈ ચૂકેલા વ્યક્તિને કદાચ સરળતાથી પોતાનો શિકાર બનાવી શકે છે. જો કે રાતના સમાચાર એ છે કે નવા વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિમાં હળવી બિમારી નજરે પડી રહી છે. WHOનું કહેવું છે ક આને લઈને હાલ સ્ટડીની જરુર છે.
ઓમિક્રોન વાયરસથી ફરી સંક્રમિત થવાનું જોખમ વધારે
પત્રકારો સાથેની વાતચીતમાં WHO ટેડરોસ અધાનોમ ધેબ્રિયસિસે કહ્યું કે દક્ષિણ આફ્રિકાથી આવી રહેલા ડેટા જણાવી રહ્યા છે કે ઓમિક્રોન વાયરસથી ફરી સંક્રમિત થવાનું જોખમ વધારે છે. તેમણે કહ્યું કેટલાક પુરાવા મળ્યા છે. જેનાથી ખબર પડે છે કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન હળવી બિમારીનું કારણ બનેલો છે. તેમણે દેશોને ઓમિક્રોનના વ્યવહારને સમજવા માટે ઓબ્જર્વેશન વધારવાની અપીલ કરી છે.
ઓમિક્રોનની ચેન તોડવા માટે બે ગણા પ્રયત્નો કરવા પડશે નહીંતર...- માઈકલ
ભલે ઓમિક્રોન ઓછી ખતરનાક બિમારીનું કારણ બની રહ્યો છે. પરંતુ ટેડરોસે વાયરસના ઓબ્જર્વેશનને ઓછુ કરવાની વિરુદ્ધ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ બેદરકારીથી જીવ જઈ શકે છે. WHOએ ઈમરજન્સીના ડાયરેક્ટ માઈકલ રાયને કહ્યું છે કે અત્યાર સુધીના ડેટા જણાવે છે કે વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે અને કદાચ આ ડેલ્ટા વેરિએન્ટથી વધારે તેજીથી ફેલાઈ રહ્યો છે. જો કે તેમણે કહ્યું કે આનો મતલબ એ નથી કે તેને રોકી ન શકાય. તેની ચેન તોડવા માટે પોતાને અને બીજાને સુરક્ષિત કરવા વધારે બે ગણા પ્રયત્નો કરવા પડશે. ભલે નવો વેરિએન્ટ પહેલાના વેરિએન્ટ કરતા ઓછો ખતરનાક હોય . કેમ કે જો આ વધારે ફેલાયો તો લોકોને વધારે બિમાર કરી શકે છે. સ્વાસ્થ્ય વ્યવસ્થા અસ્થવ્યસ્થ થઈ શકે છે. મોત વધી શકે છે. WHO ના એક્સપર્ટ્સે રસીકરણ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે ભલે રસી ઓમિક્રોન સામે ઓછી સુરક્ષા આપી રહી હોય પણ તે ગંભીર બિમારી સામે મોટી સુરક્ષા આપી રહી છે.