કર્ણાટકમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 2 દર્દી મળતાની સાથે મહામારીની નવી લહેરની આશંકાઓને જન્મ લીધો છે. દુનિયાભરના દેશ ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને પ્રવાસના નિયમો વધારે સખત બની રહ્યા છે. ભારતે પણ 11 હાઈ રિસ્કવાળા દેશોથી આવી રહેલા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરી દીધું છે. આ દરમિયાન એક ટોપના એક્સપર્ટ્સે ઓમિક્રોનની વિરુદ્ધ બૂસ્ટર ડોઝની જરુર પર ભાર મૂક્યો છે. સાથે તેમનું કહેવું છે. આ સાથે તેમનું કહેવું છે કે ટ્રેવેલ બેનથી ઓમિક્રોનની સ્પીડ પર કોઈ બહું ફર્ક નહીં પડે.
ઘબરાવાની જગ્યાએ સતર્ક રહેવાની જરુર
અમેરિકાની બ્રાઉન યૂનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર આશિષ ઝાનુ કહેવું છે કે એ કહેવું ઉતાવળીયું ગણાશે કે ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટાથી વધારે ઘાતક છે. મહામારીના અનેક વેરિએન્ટ પેદા થાય છે. પરંતુ ઓમિક્રોનમાં અનેર ગંભીર મ્યૂટેશન છે. એટલા માટે આ વેરિએન્ટને બહું ગંભીરતાથી લેવાની જરુર છે. પરંતુ આને લઈને ઘબરાવાની જગ્યાએ સતર્ક રહેવાની જરુર છે.
બૂસ્ટર ડોઝ મદદગાર સાબિત થશે
આશીષ ઝાએ કહ્યું જો ઓમિક્રોનના સંક્રમણથી વધારે માઈલ્ડ કેસ સામે આવી રહ્યા છે તો બૂસ્ટર ડોઝ પર ભાર મુકવાની જરુર છે. કોઈને એ નથી લાગતુ કે રસી બિલ્કુલ બેઅસર થઈ જશે. જલ્દી લેબ સ્ટડીથી આપણને જવાબ મળવાનું શરુ થઈ જશે. એટલા માટે બૂસ્ટર ડોઝ મદદરુપ સાબિત થશે. વિશેષરુપથી તે લોકોમાં જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે.
ટ્રાવેલ બેનના માધ્યમથી ઓમિક્રોનની સ્પીડને અટકાવી ન શકાય
આશીષ ઝાનું એ પણ કહેવું છે કે ટ્રાવેલ બેનના માધ્યમથી ઓમિક્રોનની સ્પીડને નહીં રોકી શકાય. એટલે ટ્રાવેલ બેનની જગ્યાએ પ્રવાસ દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન વધારે કારગત થઈ શકે છે. ઓમિક્રોનને લઈ આરટીપીસીઆર ટેસ્ટ પર શંકા નહી કરવી જોઈએ. આ ટેસ્ટ ઓમિક્રોન વેરિએન્ટના મામલા પણ પકડી શકે છે.