આઝાદી બાદ દેશભરમાં કોગ્રેસ અને તેના સાથી પક્ષોનું એકતરફી શાસન હતું. જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ તેમ રાજકારણમાં બદલાવ આવ્યો. પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો દબદબો હતો અને હવે ભાજપ અને સાથી પક્ષોનો દબદબો છે. પરંતુ મહત્વની વાત એ છે કે હવે એનડીએ અને યુપીએના મતદારો કોણ છે અને કોણ ક્યા પક્ષને પસંદ કરે છે.
લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 51.6% સવર્ણો અને 47.1% પછાત વર્ગના મતદાતાઓએ એનડીએને વોટ આપ્યાં છે. તો યુપીએ પર સૌથી વધુ 40.8% મુસ્લિમ અને 30.1% આદિવાસી મતદાતાઓએ વિશ્વાસ દાખવ્યો હતો. આ વાત ખાનગી ન્યુઝ એજન્સસી અને સર્વમાં બહાર આવી છે. જે મુજબ એનડીએને 47.1% ઓબીસી, 43.2% એસટી અને 39.5% એસસી મતદાતાઓએ મત આપ્યાં છે.
જ્યારે કે, કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ પર ઓબીસીએ ઓછો વિશ્વાસ દાખવ્યો છે. તેમને ઓબીસી મતદાતાઓના સૌથી ઓછા 25.4% વોટ મળ્યાં છે. યુપીએને 30.1% એસટી અને 29.1% એસસી મતદાતાઓનું સમર્થન મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી દેશમાં જાતિ અને સમાજના નામે ચૂંટણીઓમાં હાર-જીત થાય છે. ત્યારે ધાર્મિક આધારે મતદાતાઓનું વિશ્લેષણ કરવા પર સામે આવ્યું છે કે, 51.6% સવર્ણ હિંદુ વોટર્સે મોદી અને એનડીએ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. 45.7% ઈસાઈ અને 38.2% શીખ મતદાતાઓના વોટ પણ એનડીએના ખાતામાં ગયા. તો સૌથી વધુ 40.8% મુસ્લિમ મતદાતાઓએ યુપીએને વોટ આપ્યાં.
આ ઉપરાંત 28% શીખ અને 27.8% ઈસાઈ વોટ પણ યુપીએને મળ્યાં.આમ મુસ્લીમ મતદારો આજે પણ કોંગ્રેસ પર જ પોતાનો વિશ્વાસ મુકી રહ્યા છે. તેઓ અન્ય પક્ષ પર વિશ્વાસ રાખતા નથી. જયારે અન્ય તમામ પક્ષોએ આ વખતે એનડીએ પર ભરોષો મુક્યો છે.