નૂપુર શર્માના નિવેદન પર શુક્રવારે જુમ્માની નમાઝ બાદ ફરી એક વખત ઉત્તરપ્રદેશમાં હિંસક પ્રદર્શન થયું. ત્યારે ઉત્તરપ્રદેશમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી કાર્યવાહી
ઉત્તપ્રદેશમાં ઉપદ્રવિયો વિરૂદ્ધ થશે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી
ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં જુમ્માની નમાઝ બાદ થઇ હતી બબાલ
નુપુર શર્માના નિવેદનને લઇને ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ હિંસક પ્રદર્શન થયું હતું. અત્યાર સુધીમાં કુલ 116 લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ ગેંગસ્ટર એક્ટ લાગુ કરી સંપતિના નુકસાનની વસૂલી કરવામાં આવશે. પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ જેવા કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપી જોવા મળી. હવે સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે તે પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ મોટા એક્શનની તૈયારી છે, જે પણ પ્રદર્શનકારીએ હિંસા કરી છે, તેમના વિરૂદ્ધ ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવશે. ઉત્તરપ્રદેશ પોલીસને તમામ છૂટ આપી દેવામાં આવી છે.
સરકારી સંપત્તિને નુકસાન થયું છે તે ઉપદ્રવીઓ પાસેથી વસૂલાશે
આ અંગે ADG, લૉ એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે આ વાતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, પ્રદેશમાં શાંતિ ભંગ કરવાના સંબંધમાં આજે સાંજે 7:30 વાગ્યા સુધી 109 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તોડફોડ કરનારા વ્યક્તિઓને ઓળખ કરી લેવામાં આવી છે. જે પણ સરકારી અને પ્રાઇવેટ સંપત્તિને નુકસાન થયું છે હિંસા કરનારા તત્વો પાસેથી વસૂલવામાં આવશે. તેમની પ્રોપર્ટીને જપ્ત કરવામાં આવશે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે શાંતિ વ્યવસ્થા બગાડનારા કોઇપણ શખ્સને બક્ષવામાં નહીં આવે અને તમામ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | Stones hurled during clashes in Atala area of UP's Prayagaraj over controversial remarks of suspended BJP leader Nupur Sharma and expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/fZGmQYezs7
હવે માહિતી માટે જણાવી દઇએ કે, આજે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુરમાં નૂપુર શર્માના નિવેદન વિરૂદ્ધ ભારે હોબાળો ઉભો કર્યો હતો. હજારોની સંખ્યામાં રોડ પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો અને સરકારી સંપત્તિને નુકસાન પણ પહોંચાડ્યું. કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનારીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, આંસૂ ગેસના ગોળા પણ છોડ્યા. ગમે તે કિંમતે સ્થિતિને નિયંત્રણમાં કરવા પર ભાર આપવામાં આવી રહ્યું.
હિંસક ઘટનાઓ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મીટિંગ કરી હતી. તે મીટિંગમાં તમામ સીનિયર પોલીસ અધિકારી હાજર રહ્યા. સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે અને તાત્કાલિક શાંતિ અને વ્યવસ્થા મેળવી લેવામાં આવે.
બંગાળ સરકારે 13 જૂન સુધી ઇન્ટરનેટને સસ્પેન્ડ કર્યું
ઉત્તપ્રદેશ સિવાય રાંચીમાં પણ ભારે હોબાળો જોવા મળ્યો છે. ત્યાં પણ મોટા સ્તરે આગચંપી અને પથ્થરમારો જોવા મળ્યો છે. સ્થિતિને કાબૂમાં કરવા માટે તંત્રએ આખા રાંચીમાં જ કર્ફ્યૂ લગાવી દીધો છે. આ પ્રકારે હાવડામાં વિરોધ પ્રદર્શન બાદ બંગાળ સરકારે 13 જૂન સુધી ઇન્ટરનેટને સસ્પેન્ડ કરી દીધું છે. ત્યાં ચાર ટ્રેનોને કેન્સલ કરવાની નોબત પણ આવી ગઈ છે. આને આખા વિવાદ પર મુખ્તાર અબ્બાસ નકવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમના અનુસાર, કોઇ એકની ભૂલ માટે તમામને સજા ન આપી શકાય.
#WATCH | West Bengal: A huge crowd gathers at Howrah in protest over the controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/m8Bak7Q0nF
તેઓ કહે છે કે એક વસ્તુમાં સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ દેશ આપણો પણ છે તેમનો પણ છે. એક વ્યક્તિની સજા તમે આખા દેશને દેશો શું? દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો મોહરો બનવાનું કામ કરી રહ્યા છે. સીધા સાદા લોકોને મોહરા બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મારી સૌને અપીલ છે કે તમામ ધર્મોનું સન્માન કરે.
Protests erupt in Prayagraj, other parts of UP over Nupur Sharma's inflammatory remarks, CM Yogi orders strict action against 'hooligans'