દિલ્હીની હિંસા એ હદે વકરી કે તેને કાબૂમાં લેવી સરકાર અને પોલીસ માટે બહુ અઘરી પડી ગઈ છે. દિલ્હીની હિંસાને પગલે અત્યાર સુધમાં 20 લોકોના મોત નિપજ્યા છે. હિંસા પર કાબૂ મેળવવા સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. તેના માટે સરકારે એસ. એન. શ્રીવાસ્તવને દિલ્હીના સ્પેશિયલ કમિશનર પણ બનાવ્યા છે. એટલું જ નહીં ગત રાતે અજીત ડોભાલે પણ સ્થળની મુલાકાત કરી હતી. બીજી તરફ PM મોદીએ આ અંગે માહિતી માંગી છે. જાણો શું પગલા લઈ રહી છે સરકાર.
અજીત ડોભાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી
બેઠકમાં NSAનાં અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહેશે
PM મોદીને દિલ્હીની સ્થિતી અંગે માહિતી મેળવશે
દિલ્હીમાં હિંસાના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે
થોડીવારમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરુ થવા જઈ રહી છે. દિલ્હીમાં હિંસાના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં NSAનાં અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહેશે. તેમજ PM મોદીને દિલ્હીની સ્થિતી અંગે માહિતી પણ આપશે. કેમ કે અજીત ડોભાલે ઘટના સ્થળની મુલાકાત કરી હતી. સરકારે ડોભાલને દિલ્હીની જવાબદારી સોંપી છે.
ગત રાતે અજીત ડોભાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી
દિલ્હીમાં ભડકેલી હિંસાથી NSA અજિત ડોભાલે પણ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અજિત ડોભાલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નોર્થ ઈસ્ટ દિલ્હીના DCP ઓફિસમાં અજિત ડોભાલે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નોર્થ ઈસ્ટના DCP, સ્પેશિયલ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર હતા. અજિત ડોભાલે સીલમપુર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ હિંસાને પગલે અમિત શાહ 3 બેઠક કરી ચૂક્યા છે
દિલ્હીની હિંસામા 20 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ 200 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલ દાખલ કરા માટે રસ્તો મળી રહ્યો ન હોવાથી હાઈકોર્ટના જજના ઘરે અડધી રાતે સુનવણી કરવામાં આવી હતી. આ હિંસાને પગલે અમિત શાહ 3 બેઠક કરી ચૂક્યા છે.