કોરોના સંકટમાં લોકો વધુ ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરતા થઈ ગયા છે. એવામાં આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમને 1 જ વર્ષમાં 60 ટકા રિટર્ન મળશે. ચાલો જાણીએ.
કોરોના સંકટમાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે
આ સ્કીમમાં તમને 1 જ વર્ષમાં 60 ટકા રિટર્ન મળશે
સારી કમાણી કરવી હોય તો જાણો આ સ્કીમ વિશે
આ છે રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)
નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) ખાસ કરીને રિટાયરમેન્ટ માટે ડિઝાઈન કરવામાં આવી છે. તે લાંબી અવધિનું ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. તેની દેખરેખ પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએ કરે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની સ્કીમ ઇને ઇક્વિટી માર્કેટમાં ઘણો ફાયદો થયો છે. છેલ્લા એક વર્ષમાં સરકારની આ પેન્શન યોજનાએ 60 ટકા સુધીનું વળતર આપ્યું છે.
એલઆઈસી પેન્શન ફંડે 60% રિટર્ન આપ્યું
એલઆઇસી પેન્શન ફંડએ એનપીએસના ટિયર-1 ખાતામાં સૌથી વધુ 59.56 ટકા વળતર આપ્યું છે. આ પછી, આઈસીઆઈસીઆઈ પ્રુ પેન્શન ફંડે 59.47 ટકા અને યુટીઆઈ નિવૃત્તિ સોલ્યુશન્સમાં 58.91 ટકા રિટર્ન આપ્યું છે.
જાણો ટાયર -1 અને ટાયર -2 વચ્ચેનો તફાવત
એનપીએસ ટાયર -1 એકાઉન્ટને સક્રિય રાખવા માટે લઘુત્તમ વાર્ષિક યોગદાન 6,000 રૂપિયાથી ઘટાડીને ફક્ત 1000 રૂપિયા કરવામાં આવ્યું છે. નિવૃત્તિ પર તમે સંપૂર્ણ મૂડીનો 60 ટકા હિસ્સો ટેક્સ ફ્રીમાં લઈ શકો છો. બાકીના 40 ટકા ફંડમાંથી આજીવન પેન્શન લઈ શકે છે. એનપીએસ ટિયર -2 માં ઘણાં ફાયદા છે. કારણ કે, આ એક રોકાણ ખાતું છે, તમે તમારી જરૂરિયાત મુજબ પૈસા ઉપાડી શકો છો. જોકે, સરકારી કર્મચારીઓને બાદ કરતાં, ટિયર -2 ખાતા પર આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કોઈ કર લાભ નથી. જયાં સુધી તમે આ ખાતાને વધારી નથી દેતા ત્યાં સુધી એનપીએસના ટિયર-1 ખાતામાં તમારી ઉંમરના 60 વર્ષ સુધી લોક ઈન હોય છે. જ્યારે ટિયર-2 ખાતામાં કોઈ લોક ઈન અવધિ નથી.