લોકડાઉનમાં રાહત વચ્ચે દેશના તમામ એરપોર્ટ પર ટૂંક સમયમાં ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે એરલાઇન કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
ફ્લાઈટોમાં નવા નિયમો અમલમાં મુકાશે
ફ્લાઈટમાં વચ્ચેની સીટ ખાલી રાખવામાં આવશે
જો સીટ ખાલી રાખવામાં ન આવે તો આટલી વસ્તુઓ આપવી પડશે
વચ્ચેની સીટના નિયમો બદલાયા છે
ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓને કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ્સમાં શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની બેઠકો ખાલી રાખવા જણાવ્યું હતુ. તેમજ ડીજીસીએએ તેમના આદેશમાં જણાવ્યું છે કે જો મોટી સંખ્યામાં મુસાફરો હોય અને મુસાફરોને મધ્યમ બેઠક ફાળવવામાં આવે તો વધારાના સાવચેતી ઉપકરણો પૂરા પાડવામાં આવવા જોઇએ. બોડી કવરિંગ ગાઉન પણ આપવામાં આવવું જોઈએ. જે ટેક્સટાઈલ મંત્રાલયના ધોરણોને અનુરૂપ હોવા જોઈએ. આ સાથે માસ્ક અને ફેસ શિલ્ડ આપવાની પણ વાત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની દખલગીરીને કારણે નિયમોમાં ફેરફાર
ફ્લાઇટ્સમાં વચ્ચેની સીટો ખાલી રાખવા કે ન રાખવા માટેની અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 25 મેના રોજ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન નિયામક (ડીજીસીએ) મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતીના હિતમાં તેના ધારાધોરણોને બદલવા માટે સ્વતંત્ર્ય છે.
ડીજીસીએએ સોમવારે તેના આદેશમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ટાંકીને જણાવ્યું હતુ કે, "ઉડ્ડયન કંપનીઓ બેઠકોની ફાળવણી એવી રીતે કરશે કે 2 મુસાફરોની વચ્ચેની બેઠક ખાલી રાખવામાં આવે જો મુસારફ અને બેઠકોની ક્ષમતા તેની પરવાનગી આપે તો.’
જોકે તેમણે કહ્યું કે, એક જ પરિવારના સભ્યોને સાથે બેસવાની મંજૂરી આપી શકાય છે. આદેશમાં જણાવાયુ છે કે એરલાઇન્સ દરેક મુસાફરોને સલામતી કીટ આપશે. આમાં સર્જિકલ માસ્ક, ફેસ શીલ્ડ તેમજ પૂરતા પ્રમાણમાં સેનિટાઈઝરનો સમાવેશ થશે.