લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ બિલને રાજ્યસભામાં પાસ કરાવાનીતૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે લોકસભામાં 311 મત સાથે આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે ભાજપે 10 અને 11 ડિસેમ્બરે પોતાના પક્ષના રાજ્યસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે. જો કે અનુમાન મુજબ આજે અને આવતી કાલે બુધવારના રોજ રાજ્યસભામાં મતદાન માટે રજૂ કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ
સરકાર આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે
લોકસભામાં પક્ષમાં 311 જ્યારે વિપક્ષમાં 80 મત પડ્યા
આ અગાઉ સરકાર દ્વારા સોમવારે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને લઇને મોડી રાત સુધી મતદાનની પ્રક્રિયા પુરી કરવામાં આવ. જેમાં આ બિલના પક્ષમાં કુલ 311 મત પડ્યા જ્યારે વિપક્ષમાં માત્ર 80 મત પડ્યાં. જો કે ખાસ વાત એ જોવા મળી કે નીતિશકુમારના જનતા દળ યુનાઇટેડ અને રામવિલાસ પાસવાના પક્ષે બિલના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે તે સિવાય શિવસેના, બીજેડી અને વાઇએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓએ પણ આ બિલના સમર્થનમાં મત આપ્યો હતો.
120 સભ્યના સમર્થનની જરૂરિયાત
લોકસભામાં આ બિલને મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પણ પાસ કરાવાને લઇને સંપૂર્ણ આશ્વત નજર આવી રહી છે. પાર્ટીને બહુમત માટે જેટલી બેઠકની જરૂરિયાત છે, તેટલી એનડીએના સાથી દળો સિવાય શિવસેના, વાઇએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળના સમર્થન સાથે આસાનીથી પૂરી થઇ શકે છે. રાજ્યસભામાં નાગરિકતા બિલને પાસ કરવા માટે ભાજપને કુલ 239 બેઠકમાંથી 120ના સમર્થનની જરૂરિયાત છે.
જેડીયુ અને બીજેડી પણ સરકારના પક્ષમાં
ભાજપ પાસે અત્યારે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. આ સિવાય જેડીએસના 6, એઆઇએડીએમકેના 11 અને અકાલીદળના 3 સાંસદ તેમજ 12 નામિત સાંસદોનું સમર્થન ભાજપના પક્ષમાં છે. આ સિવાય નવીન પટનાયકનો પક્ષ બીજેડી અને વાઇએસઆર કોંગ્રેસ પણ આ બિલને રાજ્યસભામાં સમર્થન આપી શકે છે. આ એક અનુમાન મુજબ ભાજપ રાજ્યસભામાં પણ આ બિલ આસાની પાસ કરાવી શકશે.