હવે મોંઘુ થઇ જશે તમારા માટે ATM કાર્ડનો ઉપયોગ કરવાનું. થોડાક જ મહિનાની અંદર તમારી પર ATM ચાર્જનો બોજ વધી શકે છે. એનું કારણ હશે કે તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા ATM અપગ્રેડેશનને લઇને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ રુલના કારણે ATM ઇન્ડસ્ટ્રી એના ખર્ચાની ચુકવણી કરી લેશે. કન્ફેડેશન ઓફ ATM ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે પહેલાથી જ ઇન્ડસ્ટ્રી ખોટમાં ચાલી રહી છે અને ATM ના અપગ્રેડશનથી એનો ખર્ચ વધી જશે. એટલે કે એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારવામાં આવે.
RBIનો આદેશ
ATM દ્વારા છેતરપિંડા અને હેકિંગની વધતી ફરિયાદોને ગંભીરતાથી લેતા રિઝર્વ બેંકે ATM અપગ્રેડશનની સમસ સીમા નક્કી કરી લીધી હતી. આ ડેડલાઇન 6 તબક્કામાં વહેંચાયેલી છે અને પહેલી ડેડલાઇન ઓગસ્ટ 2018 છે. જ્યારે છઠ્ઠું અને અંતિમ ચરણ જૂન 2019એ ખતમ થશે. એટલે કે બેંકોને જૂન 2019 સુધી કોઇ પણ સંજોગે ATM અપગ્રેડેશનનું કામ પૂર્ણ કરવું પડશે. હવે બેંકો અને વ્હાઇટ લેવલ ATM ઓપરેટર્સને આ સમય સીમામાં દરેક ATM નું અપગ્રેડેશન ખતમ કરવું પડશે. ATM અપગ્રેડેશન હેઠળ BIOS પાસવર્ડ USB પોર્ટ ડિસેબલ કરવો ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન અપ્લાય કરવાની સાથે સાથે નવી નોટો પ્રમાણે કેસેટ્સ અને રીકન્ફ્યીગ્યર કરવાનું પણ સામેલ હતું.
25% વધી જશે ખર્ચ
RBIના તાજા નિર્દેશથી ATMનો ખર્ચ ઓછામાં ઓછો 25 ટકા વધી જશે. બીજી બાજુ બેંકો પણ પોતાની સર્વિસ મોંઘી કરશે કારણ કે એમની ઓપરેશનલ કોસ્ટ પણ 40 ટકા વધી જશે. ATM ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે પહેલાથી જ આ ઇન્ડસ્ટ્રી ખોટમાં ચાલી રહી છે. કારણ કે ATM ટ્રાન્ઝેક્શન પર ફી માત્ર 15 રૂપિયા છે. તો બીજી બાજુ નોન ટ્રાન્ઝેક્શન પર ફી 5 રૂપિયા છે જો કે આ ફી ગ્રાહક પર લાગતી નથી. ગ્રાહકોને પૈસા ત્યારે આપવા પડે છે જ્યારે ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા પૂરી થયા બાદ પણ એ ATMથી કોઇ ટ્રાન્ઝેક્શન કરે. તો બીજી બાજુ ATMથી એક ટ્રાન્ઝેક્શનનો ખર્ચ એક દિવસનો 23 રૂપિયા આવે છે.
તમારી પર શું થશે અસર?
ઓપરેશનલ કોસ્ટ વધવાની સ્થિતિમાં બેંક બે પ્રકારના પગલા ભરી શકે છે. પહેલા તો કસ્ટમરથી ફ્રી ટ્રાન્ઝેક્શન ખતમ થવા પર 18 રૂપિયા પ્લસ GST ચાર્જમાં વધારો કરી દે. બીજું ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટીને ઓછી કરી દેવામાં આવે જે હાલમાં 5 અથવા 3 છે.
પહેલા પણ નિર્દેશ આપી ચુક્યું છે RBI
ફેબ્રુઆરી 2018ના અંત સુધી દેશભરમાં આશરે 2.06 લાખ ATM આજે પણ વિન્ડોઝ XP અથવા અન્ય અનસપોર્ટેડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યા છે. આના કારણે આ ATMની સિક્યોરિટી પર જોખમ છે.
આ છે ડેડલાઇનની ડિટેલ્સ
BIOS પાસવર્ડ USB ડિસેબલ કરવું ઓટો રન ફેસિલિટી ડિસેબલ કરવું ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય સોફ્ટવેર્સનું લેટેસ્ટ વર્ઝન અપ્લાય કરવું ટર્મિનલ સિક્યોરિટી સોલ્યુશન ટાઇમ બેસ્ડ એડમિન એક્સેસ વગેરે જેવા પગલાને અમલમાં લાવવા માટે RBIએ બેંકોને ઓગસ્ટ 2018 સુધીનો સમય આપ્યો છે.
એન્ટી સ્કિમિંગ અને વ્હાઇટ લિસ્ટિંગ સોલ્યુશન લાગૂ કરવાને લઇને ડેડલાઇન માર્ચ 2019 નક્કી કરવામાં આવી છે.
દરેક ATMની ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટેડ વર્ઝનની સાથે અપગ્રેડ કરવા માટે ડેડલાઇન સપ્ટેમ્બર 2018 છે.