બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / ગુજરાત / અમદાવાદ / Notice to cut water sewer connection in buildings without NOC in Ahmedabad,
Kishor
Last Updated: 08:09 PM, 12 January 2023
અમદાવાદના શાહીબાગમાં ભભૂકી ઉઠેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેને પગલે ફાયર વિભાગે શહેરમાં 23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ નોટિસ ફટકારી છે. જેમાં પાણી અને ગટરના કનેક્શન કટ કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગોતાની સેવન્થ ગ્રેસ અને ઘાટલોડિયાના નિર્માણ કોમ્પલેક્ષને નોટિસ આપવામાં આવી છે.
ઈસનપુરની શ્યામસાઈ-2 અને ખોખરાની શ્રી રામ હાઈટ્સને અપાઈ નોટિસ
ઉપરાંત તંત્ર દ્વારા એલર્ટ મોડમાં આવી થલતેજની ઈન્દ્રપ્રસ્થ અને મણિનગરના રૂદ્રા સ્કાઈ, ઈસનપુરની શ્યામસાઈ-2 અને ખોખરાની શ્રી રામ હાઈટ્સ, ચાંદલોડિયાના બી.એમ.ટાવર અને સેટેલાઈટના હેત્વી ટાવર, બોડકદેવના પુષ્કર ટાવર અને રોયલ ચિન્મય ટાવર ઉપરાંત જગતપુરના વ્રુંદાવન અને રાણીપના કલાસાગર હાઈટ્સને તાકીદ કરાઈ છે.
ઈન્દ્રપ્રસ્થ ટાવર સહિતની બિલ્ડિંગમાં બેદરકારી
મહત્વનુ છે કે એનઓસી મામલે અનેક નોટિસ આપવા છતાં ઈમારતોના સંચાલકો નોટિસને ગણકારતા નથી અને તેમના દ્વારા અત્યાર સુધીમાં NOC લેવામાં આવી નથી. ઈન્દ્રપ્રસ્થ ટાવર સહિતની બિલ્ડિંગમાં બેદરકારી જોવા મળી રહી છે. મકાન માલિકો ગેલેરીમાં વેન્ટિલેશન ન રાખતા હોય ઉપરાંત અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. ઉપરાંત બિલ્ડીંગની ગેલેરીમાં ઝાળીઓ લગાવેલી જોવા મળી રહી છે. જેને લઈને એલીવેશનનાં કારણે આકસ્મિક ઘટનામાં ઈમેરજસી એગ્ઝિટ કરવી મુશ્કેલ બને છે.
ગત તા.7 ના રોજ ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના લાગી હતી આગ
ગત 07 જાન્યુઆરીના રોજ અમદાવાદની ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. ગિરધરનગરમાં ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના બી બ્લોકના સાતમા માળે સુરેશ ગૌતમચંગ જીરાવાલા તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈના ભાઈની 17 વર્ષીય દીકરી પ્રાંજલ સુરતથી અમદાવાદ ભણવા માટે આવી હતી. તે સુરેશભાઈના ઘરે રહેતી હતી. આજે સવારે તે નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. ત્યારે ગિઝર ચાલુ કરતા અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાંજલે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધીમે-ધીમે આગ આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી. જેથી પ્રાંજલ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. તો આગ લાગતા સુરેશભાઈ અને તેમનો પરિવાર તાત્કાલિક ઘર બહાર દોડી ગયો હતો. જ્યારે પ્રાંજલ બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી.જેમાં 15 જેટલી ગાડીએ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
બાલ્કનીમાંથી પોતાનો જીવ બચાવવા માટે 17 વર્ષીય પ્રાંજલ ચીસાચીસ કરતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી. તરુણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army