વારાણસીમાં પીએમ મોદી સહીત 26 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ આ 26 સિવાય 27મો ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે, જે ભાજપ માટે મુસિબત બનેલો છે. આ 27મો ઉમેદવાર છે નોટા(NOTA). બનારસમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં નોટાનો ઉપયોગ વધુ સક્રીય જોવા મળ્યો. જોકે 2014માં પણ નોટાએ પોતાની ઉપસ્થિતિ અહીં દાખલ કરાવી હતી પરંતુ તેમની સંખ્યા ગણતરીથી બહાર હતી.
ત્યારે માત્ર 2051 જ મત નોટાને મળ્યા હતા પરંતુ આ વખતે સંખ્યા વધુ હોવાના આસાર છે કારણ કે પહેલી વખતે વારાણસીમાં નોટાને લઇને ડોર ટુ ડોર કેમ્પેઇન કરતા નજરે પડ્યા હતા. આ કેમ્પેઇનથી કોંગ્રેસ અથવા ગઠબંધનથી કેટલીક વધારે હેરાન દેખાઇ રહી છે. આનું મોટું કારણ પણ છે કારણ કે જે લોકો નોટા વિરૂદ્ધ મુહિમ ચલાવી રહ્યા છે જેમાં વધુ તનમનથી જોડાયા છે તે એ જ લોકો છે જે ભાજપના સ્થાપના કાળથી કોર ભાજપ અને આરએસએસથી જોડાયેલા રહ્યા છે.
વારાણસીમાં શહેર દક્ષિણીનો સમગ્ર મહોલ્લો પાકો મહેલ છે. જેમાં પણ લાહૌરી ટોલા તો ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આ લાહૌરી ટોળામાં પીએમ મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વનાથ કૉરિડોર આવ્યું છે જેના મૂળમાં અહીંના 279 મકાન આવ્યા, જેને સરકારે તોડી નાખ્યા. જેને લઇને અસરગ્રસ્ત લોકોએ પોતાના ઘરોને બચાવવા માટે તમામ જગ્યાઓ પર માંગ લગાવી, લડાઇ લડ્યા, પરંતુ જ્યારે તે સરકારથી હારી ગયા તો હવે ચૂંટણીમાં પીએમને સબક સિખવાડવા માટે નોટાને પોતાના ઉમેદવાર માનીને પ્રચારમાં જોડાઇ ગયા છે.
આ લોકો માત્ર પોતાના જ વિસ્તારમાં નહીં પરંતુ તે વિસ્તારોમાં પણ જઇ રહ્યા છે, જ્યાં આ પ્રકારનો સમાન દર્દ મળ્યો છે. જેમાં એક માઝી સમાજ પણ છે કારણ કે માઝી સમાજ પણ પાંચ વર્ષોમાં પોતાની રોજી રોટી લઇને સંઘર્ષ કરે છે. ક્યારેક ગંગામાં ક્રૂઝને લઇને તો ક્યારેક ગંગામાં જેટી લગાવવાના મુદ્દાને લઇને. તેમની આ નારાજગી પોતાની તરફ કરવા માટે પણ નોટાના સમર્થક લોકો તેમનો સંપર્ક કરી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના નારાજ ધારાસભ્ય સુરેન્દ્ર પટેલ તો પોતાની પાર્ટીમાં કોંગ્રેસથી આવેલ શાલિની યાદવના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિરોધ દર્શાવતા નોટાનું બટન દબાવવા માટે ન માત્ર અપીલ કરી પરંતુ ગામેગામ જઇને પ્રચાર પણ કરી રહી છે. વારાણસીમાં લોકોના સામાન્ય મુદ્દાઓને લઇને સંઘર્ષ કરનારા ક્રાંતિ ફાઉન્ડેશનના રાહુલ સિંહ કહે છે કે, ગત પાંચ વર્ષોમાં વારાણસીની અંદરની પરિસ્થિતિ વધુ વિકટ બની છે. લોકો ગલીઓમાં ગટર, રોડ અને પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે પાંચ વર્ષનો હિસાબ લોકો નોટાનું બટન દબાવીને આપશે.
નોટાના ઇતિહાસ પર જો ધ્યાન આપવામાં આવે તો વર્ષ 2013થી લઇને 2017 સુધી 1.37 કરોડ લોકો નોટાને વોટ આપી ચૂક્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અંદાજિત 60 લાખ લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં તો નોટાએ કેટલીક બેઠકો પર ભાજપનું ગણિત જ બગાડી દીધું હતું. એ જ કારણ છે કે વારાણસીમાં નોટાને લઇને થઇ રહેલ પ્રચારથી ભાજપ ખુબજ ગંભીર છે, કારણ કે પીએમના સંસદીય ક્ષેત્રમાં નોટાની સંખ્યા જો વધી તો ભારે મૂંઝવણ થઇ શકે છે.