પાલતૂ કુતરાંઓ અને બિલાડીઓની નોંધણી ફરજિયાત. આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો નહીંતર તમને પણ દંડ ભરવો પડી શકે છે. પાલતૂ કૂતરાં દ્વારા સાર્વજનિક સ્થળ પર ગંદકી કરવા પર સફાઇની જવાબદારી માલિક/પશપાલકની રહેશે.
પાલતૂ કુતરાંઓ અને બિલાડીઓને લઇને નવા નિયમો જાહેર
રજિસ્ટ્રેશનથી લઇને દંડ સુધીની જોગવાઇઓ
નોઇડા ઓથોરિટીની સીઇઓએ ટ્વીટ કરી આપી માહિતી
નવા નિયમો 1.01.2023થી થશે લાગૂ
ઉત્તરપ્રદેશનાં નોયડામાં જો તમે કોઇ પ્રાણી પાડ્યો છે તો સાવધાન થઇ જજો. નોઇડા ઓથોરિટીની બોર્ડ બેઠકમાં આ બાબતને લઇને કેટલાક અગત્યનાં નિર્ણયો લેવામાં આવ્યાં છે. હવે કૂતરાં કે બિલાડી પાડવાવાળાં લોકોની બેદરકારી તેમને મોંઘી પડી શકે છે. બોર્ડની બેઠકમાં પાલતૂ પ્રાણીઓથી કોઇ પણ પ્રકારની દુર્ઘટના થાય છે તો તેના માટે દંડ માટેની જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. આ સિવાય જો તમારાં પાલતૂ પ્રાણીથી કોઇ ઘાયલ થાય છે તો તે વ્યક્તિની સારવારની જવાબદારી પણ તમારી જ રહેશે.
आज @noida_authority की 207वीं बोर्ड की बैठक में आवारा/पालतू कुत्तों/पालतू बिल्लियों हेतु नौएडा प्राधिकरण की नीति निर्धारण के संबंध में निर्णय लिए गए।
नौएडा क्षेत्र हेतु एनीमल वेलफेयर बोर्ड ऑफ इण्डिया की गाइडलाइन का अनुपालन करते हुये प्राधिकरण द्वारा नीति का निर्धारण किया गया है।
— CEO, NOIDA Authority #IndiaFightsCorona (@CeoNoida) November 12, 2022
પાલતૂ પ્રાણીઓ અંગે નવા નિયમો
આ સાથે જ હવે પાલતૂ પ્રાણીઓનું રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત થયું છે. નોંધણી ન કરાવતાં જે-તે વ્યક્તિ માટે દંડની જોગવાઇ પણ ઉમેરવામાં આવી છે. આ સાથે જ પ્રાણીઓને રસી લગાવવી પણ ફરજિયાત થઇ છે અને તેમાં બેદરકારી કરવા પર દંડ લાગી શકે છે. જો તમારું પ્રાણી જાહેર સ્થળો પર ગંદકી ફેલાવે છે તો તેની સફાઇની જવાબદારી પણ તમારી રહેશે. પાલતૂ કૂતરાં કે બિલાડી કોઇ પણ પરિસ્થિતિમાં પ્રાણી દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવારની જવાબદારી માલિકની રહેશે અને તે સિવાય 10000 રૂપિયાનું દંડ પણ ભરવું પડશે. નોઇડા ઓથોરિટીની સીઇઓએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.
CEO એ આપી માહિતી
નોઇડા ઓથોરિટીનાં સીઇઓએ ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે આજે 207મી બોર્ડની બેઠકમાં રખડતા/પાલતુ કૂતરાં અને પાલતૂ બિલાડીઓ માટે નોઇડા ઓથોરિટીએ નિર્ણયો લીધાં છે. નોઇડા ક્ષેત્ર માટે એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇનનું અનુપાલન કરતાં ઓથોરિટીએ નિતીનું નિર્ધારણ કર્યું છે.
તારીખ 31.01.2023 સુધીમાં પાલતૂ કૂતરાં/ બિલાડીઓનું રજિસ્ટ્રેશ અનિવાર્ય છે. નોંધણી ન કરાવતાં દંડ થઇ શકે છે.
પાલતૂ કૂતરાંઓ માટે સ્ટ્રેલાઇઝેશન/એન્ટીરેબીજ વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે. ઉલ્લંઘન કરતાં પ્રતિમાહ 2000 રૂપિયાનું દંડ ચૂકવવું પડશે.
ગ્રામજનોની સહમતીથી બિમાર/ઊગ્ર/આક્રમક થઇ ચૂકેલા સ્ટ્રીટ કૂતરાંઓ માટે સ્ટ્રીટ ડોગ્સ શેલ્ટરનું નિર્માણ કરવાનું અને રખેવાળી કરવાની જવાબદારી RWA / AOAની રહેશે.
આઉટડોર એરિયા પર ફીડિંગ સ્થળ માટે ચોક્કસ નિશાનીઓ કરવામાં આવશે તે જ સ્થળ પર તેમનું ખાવા-પીવાનું કરવું અનિવાર્ય રહેશે. આ વ્યવસ્થા RWO/ AOAની રહેશે.
પાલતૂ કૂતરાંઓ જાહેર જગ્યા પર ગંદકી ફેલાવશે તો સફાઇની જવાબદારી માલિકની રહેશે.
પાલતૂ કૂતરાં કે બિલાડી કોઇ પણ પરિસ્થિતિમાં પ્રાણી દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવારની જવાબદારી માલિકની રહેશે અને તે સિવાય 10000 રૂપિયાનું દંડ પણ ભરવું પડશે.