યુદ્ધમાં ફસાયેલા લોકોને સ્વદેશ લાવવા ભારત સરકારે 'ઓપરેશન ગંગા' નામનું મોટું મિશન શરુ કર્યું છે પરંતુ આ મિશન શરુ કરવા પાછળનો હેતુ જબરો છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારતે શરુ કર્યું 'ઓપરેશન ગંગા'
યુક્રેનમાંથી 15 હજાર લોકોને બહાર કાઢવાનો સરકારનો પ્લાન
ભારતીયો ક્યાંય પણ ફસાય માતૃભૂમિ તેમને એકલા ન છોડી શકે-સરકારનું ટ્વિટ
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંકટ વચ્ચે ભારતે ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. પરંતુ સરકારે આ નામ કેમ પસંદ કર્યું તેની પાછળ ભારતની દેશભાવના જોડાયેલી છે. ભારત તેના લોકોને સંકટ સમયે એકલા ન છોડી શકે અને તેઓ ગમે ત્યાં ફસાયા હોય તેમને બચાવવા પડે તેવી ઉમદા ભાવના સાથે આ નામ જોડાયેલું છે.
યૂક્રેનમાંથી 15 હજાર લોકોને બહાર કાઢવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા આ અભિયાનને 'ઓપરેશન ગંગા' નામ આપવામાં આવ્યું છે. ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, લોકોને ભારત લાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે.
ભારતે કેમ પસંદ કર્યું ઓપરેશન ગંગા એવું નામ
ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઓપરેશન ગંગા નામનું સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું છે. પરંતુ સરકારે આ નામ કેમ પસંદ કર્યું તે રસપ્રદ છે અને તેની સાથે લોકોનો નાતો જોડાયેલો છે. રેલવે મંત્રી પીયુષ ગોયેલના એક ટ્વિટમાં આ વાતનો સંકેત મ ળે છે. જ્યારે યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી ત્યારે તેમના સ્વાગતમાં ખુદ ગોયલ હાજર હતા તેમણે તસવીર ટ્વિટ કરીને લખ્યું કે મા તેના બાળકોને સંકટમાં ક્યારેય પણ છોડતી નથી.
ભારતીયો ક્યાંય પણ ફસાય માતૃભૂમિ તેમને એકલા ન છોડી શકે-સરકારનું ટ્વિટ
યુક્રેનમાં ફસાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે ગયા છે. ભારતમાં ગંગાનો માતાનો દરજ્જો અપાયો છે. ઓપરેશન ગંગા નામ આપીને સરકાર એવું જાહેર કરવા માગે છે કે ભારતીયો ક્યાંય પણ ફસાય તેમની માતૃભૂમિ તેમને એકલા ન છોડી શકે. કંઈક આવો સંદેશ સુષમા સ્વરાજના સમયમાં પણ આપવામાં આવ્યો હતો. સુષમા જ્યારે હયાત હતા ત્યારે તેમણે મદદ માગનાર લોકોને કહ્યું હતું કે જો તમે મંગળ ગ્રહ પર ફસાયેલા હશો તો પણ ભારતીય દુતાવાસ તમારી મદદ કરશે.
અત્યાર સુધીમાં 4 હજાર લોકો ભારત પરત ફર્યાં
અત્યાર સુધીમાં 4 હજાર લોકો ભારત પરત ફરી ચૂક્યા છે. ઓપરેશન ગંગા હેઠળનું પાંચમું વિમાન સોમવારે દિલ્હી પહોંચ્યું હતું. તેમાંથી બે બુડાપેસ્ટથી ભારતીયો સાથે દિલ્હી પહોંચ્યા છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ એરપોર્ટ પર પહોંચીને પરત ફરેલા લોકોનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ કહ્યું છે કે ભારત પોતાના એક-એક નાગરિકને પરત લાવશે.યુદ્ધ વચ્ચે યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, લોકોને ત્યાંથી બહાર કાઢવા મુશ્કેલ છે. ભારતે યુક્રેનના પાડોશી દેશો જેવા કે રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવેકિયાથી ફ્લાઇટ્સ પૂરી પાડી છે. સરકારી આંકડા મુજબ યુક્રેનમાં ભારતના લગભગ 20 હજાર લોકો છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સામેલ છે.