અભિજીત બેનર્જી (Abhijit Banerjee), એસ્થર ડુફ્લો (Esther Duflo) અને માઇકલ ક્રેમર (Michael Kremer) ને અર્થશાસ્ત્રના નોબલ પૂરસ્કાર (Nobel Prize For Economics) થી સન્માનિત કરાયા છે. આ દરમિયાન ડૉક્ટર બેનર્જી અને ડુફલો બંને ભારતીય અવતારમાં જોવા મળ્યા.
અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો બંને ભારતીય અવતારમાં જોવા મળ્યા
માઇકલ ક્રેમરને પણ અર્થશાસ્ત્રમાં નોબલ પ્રાઇઝથી સન્માનિત કરાયા
અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો બંને પતિ-પત્ની છે. સ્ટૉકહોમના કોન્સર્ટ હોલમાં એવોર્ડ સેરેમની દરમિયાન ડૉક્ટર બેનર્જી પારંપરિક બંગાળી પહેરવેશમાં જોવા મળ્યા, તથા તેઓની પત્ની અને નોબલ વિજેતા એસ્થર ડુફ્લો સાડીમાં જોવા મળ્યા.
અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો બંને પતિ-પત્ની છે. સ્ટૉકહોમના કોન્સર્ટ હોલમાં એવોર્ડ સેરેમની દરમિયાન ડૉક્ટર બેનર્જી પારંપરિક બંગાળી પહેરવેશમાં જોવા મળ્યા, તથા તેઓની પત્ની અને નોબલ વિજેતા એસ્થર ડુફ્લો સાડીમાં જોવા મળ્યા.
ધ નોબલ પ્રાઇઝના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લોનો નોબલ પૂરસ્કાર લેતા વીડિયો શેયર કરવામાં આવ્યો. આ બે મિનિટના વીડિયોમાં અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઇકલ ક્રેમરને અર્થશાસ્ત્રમાં મેડલ અને ડિપ્લોમાં લેતા જોઇ શકાય છે.
Watch Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer receive their medals and diplomas at the #NobelPrize award ceremony today. Congratulations!
They were awarded the 2019 Prize in Economic Sciences “for their experimental approach to alleviating global poverty.” pic.twitter.com/c3ltP7EXcF
અભિજીત બેનર્જી, એસ્થર ડુફલો અને માઇકલ ક્રેમરને 'એક્સપેરિમેન્ટલ એપ્રોચ ટૂ એલિવેટિંગ ગ્લોબલ પોવર્ટી' માટે નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. નોબલ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું, આ રિસર્ચથી વૈશ્વિક ગરીબીથી લડવામાં મદદ મળશે.
58 વર્ષના અભિજીત બેનર્જીએ ક્રીમ કુર્તા, સફેદ ધોતી અને બંદ ગળા વાળુ બ્લેક વેસ્ટ પહેર્યું હતું. જ્યારે ફ્રેન્ચ અમેરિકન ડૉક્ટર ડુફ્લો કોટન-સિલ્ક બ્લુ સાડી, અને લાલ કલરની બિંદમાં દેખાયા. અભિજીત બેનર્જીએ બંગાળી સ્ટાઇલમાં ધોતી-કુર્તા પહેર્યો હતો.
નોબલ પૂરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ અભિજીત બેનર્જીને તેમના પોશાકને લઇને સવાલ પૂછવામાં આવ્યો કે તેઓએ ટાઇ-કોટ કેમ ન પહેર્યો. ત્યારે અભિજીત બેનર્જીએ કહ્યું, 'હું કેમ પહેરું? જો મારે ફોર્મલ્સ પહેરવા હશે તો હું ભારતીય ફોર્મલ્સ પહેરીશ.' અભિજીત બેનર્જી અને તેમના પત્ની ડુફલોને નોબલ પ્રાઇઝ મળ્યા બાદ લોકો પ્રશંસા કરતા કહી રહ્યા છે કે, તેઓએ ભારતનું સન્માન વધાર્યું છે. ભારત પણ તેમની સિદ્ધિ પર ઉજવણી કરી રહ્યું છે.
નોંધનીય છે કે, અભિજીત બેનર્જીનો જન્મ કોલકાતામાં થયો અને તેઓએ પ્રેસિડેંસી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. અભિજીત બેનર્જીએ JNU માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ પણ કર્યું. હાલ તેઓ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના ફોર્ડ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ પ્રોફેસર છે.