નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હતી. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે.
પીએમ મોદી સાથે થઈ અભિજીત બેનર્જીની મુલાકાત
પીએમ મોદીએ ટ્વિટ કર્યો ફોટો
મુલાકાતમાં અનેક વિષયો પર થઈ હતી ચર્ચા
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું આવું
નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. એટલું જ નહીં, પીએમ મોદીએ કહ્યું કે તેમની સાથે વિસ્તારથી અનેક વિષયો પર વાત થઈ હતી.
Excellent meeting with Nobel Laureate Abhijit Banerjee. His passion towards human empowerment is clearly visible. We had a healthy and extensive interaction on various subjects. India is proud of his accomplishments. Wishing him the very best for his future endeavours. pic.twitter.com/SQFTYgXyBX
ટ્વિટર પર પીએમ મોદીએ લખ્યું, 'નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીની સાથે ખાસ બેઠક થઈ. માનવ સશક્તિકરણને માટેનું તેમનું જૂનુન છલકાઈ રહ્યું છે. અમે અનેક વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી છે. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.'