અનિલ દેશમુખ આકસ્મિક ગૃહમંત્રી બન્યા છે તેવા શિવસેના નેતા સંજય રાઉતના સામનાના લેખ બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે રાઉતને હદમાં રહેવાની સલાહ આપી છે.
કોને મંત્રી બનાવવા તેનો ફેંસલો શરદ પવાર કરે છે-અજિત પવાર
અજિત પવાર બોલ્યાં, મીઠું ભભરાવાનું કામ ન કરે રાઉત
100 કરોડની વસૂલીના આરોપ પર મચેલી રાજકીય બબાલ બાદ શિવસેના પણ હવે અનિલ દેશમુખ પર સવાલ ખડા કરવા લાગી છે. સંજય રાઉતે અનિલ દેશમુખને આકસ્મિક ગૃહમંત્રી ગણાવતા જ શિવસેના અને એનસીપી વચ્ચે જંગ શરુ થયો છે.
અનિલ દેશમુખ આકસ્મિક ગૃહમંત્રી બન્યા-સંજય રાઉત
શિવસેના મુખપત્ર સામનામાં સંજય રાઉતે લખ્યું કે ગૃહમંત્રી બનવાના જયંત પાટીલ અને દિલિપ વાલ્સે પાટીલના ઈન્કાર બાદ અનિલ દેશમુખને આકસ્મિક ગૃહમંત્રીનો હોદ્દો મળ્યો હતો. ગૃહમંત્રાલય પ્રતિષ્ઠિત ગૃહમંત્રાલય છે. ગૃહમંત્રીએ સંદિગ્ધોની સાથે મળીને કામ ન કરવું જોઈએ. પોલીસ વિભાગની આબરુ ધૂળમાં મળી છે અને આ કેસને કારણે સવાલ ખડા થયા છે. કોઈ પણ જાતના દેખીતા કારણ વગર દેશમુખ સિનિયર અધિકારીઓ સાથે વિવાદમાં ઉતર્યાં. જો જરુરી હોય તો જ ગૃહમંત્રીએ બોલવું જોઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટના વડા કંઈ ફક્ત સેલ્યુટ સ્વીકારવા હોતા નથી તેમણે મજબૂત લીડરશીપ આપવાની હોય છે. આવી કડકાઈથી પ્રામાણિકતામાંથી આવે છે તે આપણે ન ભૂલવું જોઈએ.
એનસીપીમાંથી કોને મંત્રી બનાવવા તે કામ શરદ પવાર કરે છે-અજિત પવાર
ડેપ્યુટી સીમ અને એનસીપી નેતા અજિત પવારે સંજય રાઉતના સામનાના આરોપોની ઉગ્ર ટીકા કરી છે. અજિત પવારે કહ્યું કે રાજ્યમાં એનેસીપી કોટામાંથી કોને કયો હોદ્દો આપવો, એ શરદ પવાર નક્કી કરે છે. બીજા કોઈને તેની પર સવાલ કરવાનો કોઈ હક નથી.
સંજય રાઉત પર આડકતરો પ્રહાર, મીઠું ભભરાવવાનું કામ ન કરો-અજિત પવાર
બારામતીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પવારે કહ્યું કે મહાવિકાસ અઘાડી ત્રણેય પક્ષોની સરકાર છે તેમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના તરફથી ફેસલો લે છે કે કોને મંત્રી બનાવવા કે કોને નહીં. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી નિર્ણય કરે છે અને એનસીપીમાં આ કામ શરદ પવાર કરી રહ્યાં છે. શરદ પવારને વહિવટીય કામનો લાંબો અનુભવ છે તેથી તેઓ જ નિર્ણય લે છે કોને મંત્રી બનાવવા અને કોને રાજ્યમંત્રી અને આ કામમાં કોઈએ પણ મીઠું ભભરાવવાની જરુર નથી.