કેન્દ્રએ બુધવારે સંસદને જણાવ્યું કે કોઈ પણ વિદેશી સરકારે કેન્દ્રના કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોને સમર્થન નથી આપ્યું. જો કે એમ કહેવામાં આવ્યું કે કેનેડા, બ્રિટન, અમેરિકા અને કેટલાક યુરોપીય દેશોમાં ભારતીય મૂળના કેટલાક પ્રેરિત વ્યક્તિઓ દ્વારા કાયદાને લઈને કેટલોક વિરોધ થઈ રહ્યો છે.
ટ્રુડોની ટિપ્પણી પણ ભારતે આપી સલાહ
આ પ્રકારની ટિપ્પણી અયોગ્ય અને અસ્વીકાર્ય
વિદેશી સરકારે કેન્દ્રના કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોને સમર્થન નથી આપ્યુ
આ પ્રકારની ટિપ્પણી અયોગ્ય અને અસ્વીકાર્ય
વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર એત ટિપ્પણી કરી હતી અને કેનેડાને અવગત કરાવ્યા હતા કે ભારતના આંતરિક મામલાના સંબંધમાં આ પ્રકારની ટિપ્પણી અયોગ્ય અને અસ્વીકાર્ય છે. સંસદમાં મત્રીની પ્રતિક્રિયા એવા સમયે આવી જ્યારે પોપ સ્ટાર રિહાના અને વૈશ્વિક પર્યાવરણવિદ ગ્રેટા થનબર્ગે આંદોલનને સમર્થન આપ્યુ. બાદમાં અનેક મંત્રિઓએ દાવો કર્યો કે આ આંતરરાષ્ટ્રીય પ્રચારનો એક હિસ્સો હતો. જેનો હેતુ ભારત અને તેની સરકારને બદનામ કરવાનો હતો. વિદેશ મંત્રાલયે આ પહેલા એક નિવેદન જારી કરી કહ્યું હતું કે ખેડૂતોના વિરોધ પર ટ્વીટ કરનારી હસ્તિઓ ન તો સટીક હતી અને ન જવાબદાર. ઉલ્લેખનીય છે કે એઆઈએમઆઈએમના સાંસદ ઈમ્તિયાજ જલીલ સૈયદે આંદોલનના સમર્થન કરનાર પીઆઈઓ અને દેશો, જો કોઈ હોય તેના પર વિદેશ મંત્રાલયને સવાલોની એક યાદી આપી હતી.
કેટલાક પ્રેરિત પીઆઈઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
તેમણે કહ્યું કે કોઈ પણ વિદેશી સરકારે ભારતીય સાંસદ દ્વારા પારિત 3 બિલોની વિરુદ્ધ ભારતીય ખેડૂતોના આંદોલનને સમર્થન નથી આપવામાં આવ્યું. કેનેડા, બ્રિટન, અમેરિકા અને કેટલાક યુરોપીય દેશોમાં ભારતીય કૃષિ બિલથી જોડાયેલા મુદ્દા પર કેટલાક પ્રેરિત પીઆઈઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.’
ટ્રુડોની ટિપ્પણી પણ ભારતે આપી આ સલાહ
મંત્રીએ ટ્રુડોની ટિપ્પણીને લઈને કહ્યું કે આ મામલાને ઓટાવા અને નવી દિલ્હી બન્નેમાં કેનેડાઈ અધિકારીઓની સામે ઉઠાવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ભારતનો આંતરિક મામલાના સંબંધમાં આવી ટિપ્પણીઓ અયોગ્ય અને અસ્વીકાર્ય છે અને ભારત- કેનેડાના દ્વીપક્ષિય સંબંધોને નુકસાન પહોંચાડનાર છે.
શું હતી ટિપ્પણી
ડિસેમ્બરની શરુઆતમાં ટ્રેડોએ ભારતમાં આંદોલનકારી ખેડૂતોના સમર્થન કરતા કહ્યું હતુ કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના અધિકારોની રક્ષા કરતુ રહ્યું છે અને તેમણે આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મુરલીધરને કહ્યું કે કેનેડા સરકારે ચિંતાના મુદ્દા પર ચર્ટા કરવા માટે ખેડૂતો સાથે ચાલી રહેલી વાતચીત માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાનું સ્વાગત કર્યુ છે.