દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે ખાનગી-સરકારી ઘણી કંપની અને કર્મચારીઓને જોરદાર ફટકો પડ્યો છે. લોકડાઉનમાં કામ બંધ થવાના કારણે કેટલાય કર્મચારીઓને તકલીફ પડી રહી હતી ત્યારે ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડી કામ બંધ હોવા છતાં પગાર આપવા માટે કહ્યું હતું જેને સર્વોચ્ચા અદાલતે પલટી નાખ્યો છે. અદાલતનું માનવું છે કે આ સમસ્યાનું સમાધાન કંપની અને કર્મચારીઓ વચ્ચે વાતચીતથી આવી જશે.
સર્વોચ્ચ અદાલતે પ્રાઈવેટ કંપનીઓને આપી મોટી રાહત
વાતચીતથી સેલેરી સમસ્યાનું સમાધાન
કેન્દ્ર સરકારને કાયદાકીય પાસા સમજાવવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો
ગૃહમંત્રાલયે કહ્યું હતું લોકડાઉન છતાં પગાર આપવો પડશે
લોકડાઉનમાં ખરાબ સમયથી પસાર થઇ રહેલી પ્રાઈવેટ કંપનીઓને સર્વોચ્ચ અદાલતે સૌથી મોટી રાહત આપી છે અને ગૃહમંત્રાલયના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. ગૃહમંત્રાલયે કહ્યું હતું કે લોકડાઉનમાં કામ બંધ હોવા છતાં કંપનીઓ પોતાના કર્મચારીઓને પૂરો પગાર આપે. જોકે સર્વોચ્ચ અદાલતે હવે આ નિર્ણયને બદલી નાખ્યો છે. અદાલતનું માનવું છે કે આ મુદ્દે પ્રાઈવેટ કંપનીઓએ કર્મચારી સાથે વાતચીત કરીને સમાધાન કરવું જોઈએ.
વાતચીત કરાવવાની જવાબદારી રાજ્ય સરકારમી : SC
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે જે કંપનીઓ કર્મચારીઓને પગાર આપી શકતી તેમના પર કાર્યવાહી કરશો નહીં. આ સમસ્યાનું સમાધાન કંપની અને કર્મચારીઓ વચ્ચે વાતચીતથી આવી જશે. આટલું જ નહીં સર્વોચ્ચ અદાલતે ત્યાં સુધી કહ્યું કે કોઈ પણ કંપની અને કર્મચારીઓ વાતચીત કરવવાની જવાબદારી રાજય સરકારની છે.
કેન્દ્ર સરકારને આપ્યો ચાર સપ્તાહનો સમય
નોંધનીય છે કે ગૃહમંત્રાલયે 29મી માર્ચે પ્રાઈવેટ કંપનીઓ માટે સેલેરી આપવા મુદ્દે નોટિફિકેશન બહાર પાડ્યું હતું હવે સર્વોચ્ચ અદાલતે પણ સરકારને આ નોટિફિકેશન પર કાયદાકીય પાસા સમજાવવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.