વિવાદીત આશ્રમ / લંપટ નિત્યાનંદના નકલી જટાધારી સાધકો, અમદાવાદ છોડી ઉભી પુછડીએ બેંગલુરૂ આશ્રમ ભાગ્યા

Nityanand Ashram Going to Bangalore Ahmedabad

અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકાના  હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસના ટ્રસ્ટી અને પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધમાં ફરિયાદ થતાં તેમજ સ્કૂલની માન્યતા રદ થતાં તેમાં બનાવેલો ગેરકાયદે  સ્વામી નિત્યાનંદનો યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમ ખાલી કરવામાં આવ્યો છે. આશ્રમમાં રહેતા નિત્યાનંદના ચેલા ચપાટા તેમજ નકલી જટાધારી સાધકો અને સાધિકાઓએ ૨૮ બાળકો સાથે પોલીસ રક્ષણ લઈ આશ્રમ ખાલી કરી દીધો હતો. આશ્રમથી બે બહેનો રહસ્યમય રીતે ગુમ થયા બાદ એક પછી એક નવા વળાંકો આવ્યા હતા. જેના કારણે વિવાદ વધુ વકરતાં ડીપીએસ સ્કૂલે ત્રણ મહિનામાં આશ્રમ ખાલી કરવા માટેની નોટિસ આપી હતી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ