બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવતા વર્ષે રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની મોટી જીતનો દાવો કરતા શુક્રવારે કહ્યું કે જે લોકો જેડીયૂ અને એના ગઠબંધન સહયોગી ભાજપની વચ્ચે દરાર પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમની ખરાબ સ્થિતિ થવાની છે.
નીતિશ કુમારે કહ્યું કે ભાજપ અને જેડીયૂ ગઠબંધનની વચ્ચે મતભેદ નથી. બિહારના સીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં એનડીએને 200થી વધારે સીટો મળશે.
નીતિશે ગઠબંધન પર ઊઠી રહેલા પ્રશ્નોને લઇને કહ્યું કે જેડીયૂ અને ભાજપની વચ્ચે બધુ યોગ્ય છે. એમને કહ્યું, 'એવા ઘણા લોકો છે જે એવું વિચારે છે કે અમારા ગઠબંધનમાં કોઇ ગોટાળો છે. એવું નથી અને જે ગડબડ કરવાનો પ્રયત્ન કરે છે, એમની ખરાબ સ્થિતિ થવાની છે.'
Bihar Chief Minister Nitish Kumar in Patna: I am targeted only for publicity, it makes some happy but what makes people of Bihar happy is my work. There is no discord in our alliance. Those who are trying to create problems will see their fate after elections pic.twitter.com/v0v7n5GbA9
જેડીયૂની એક બેઠકને સંબોધિત કરી રહેલા નીતિશે પોતાના વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે જે લોકોમાં 'રાજનકારણની સૂઝબૂઝની કમી છે તેઓ એમની પર ખાનગી પ્રહાક કરીને પ્રચાર મેળવવાનો પ્રયત્ન કરે છે.' મુખ્યમંત્રીએ કહ્યું, 'એમાંથી કેટલાક લોકોએ બેશર્મીથી એવું સ્વીકાર કર્યું કે એમને આવું એટલા માટે કર્યું કારણ કે એ એમની ખાસિયત છે'
કુમારે પોતાના પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી કે એ એમની વિરુદ્ધ કરવામાં આવતી 'નિંદાત્મક' ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા બચે. મુખ્યમંત્રીએ કહ્યું, 'હું મારા પાર્ટી પ્રવક્તાને સલાહ આપશી કે એ આમા ના પડે.' કુમારે કહ્યું, '2010ની વિધાનસભા ચૂંટણી યાદ કરવાનો પ્રયત્ન કરે. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે અમને બહુમત નહીં મળે, પરંતુ અમે 243 સીટોમાંથી 206 સીટ પર જીતી ગયા હતા. '