બિહાર સરકારે તાજેતરમાં જ મોટો નિર્ણય લીધો છે. જેમાં તમામ સરકારી કર્મચારીઓને બીજા લગ્ન કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે.
બિહાર સરકારનો મોટ નિર્ણય
બીજા લગ્ન કરવા માટે લેવી પડશે સરકારની મંજૂરી
જો મંજૂરી લીધા વગર લગ્ન કર્યા તો...
બિહાર સરકારમાં કોઈ પણ કર્મચારીના બીજા લગ્ન ત્યારે જ માન્ય ગણાશે, જ્યારે તેણે પહેલાથી સરકાર પાસેથી મંજૂરી લીધી હોય. જો બીજા લગ્નને પર્સનલ લોમાંથી માન્યતા મળી ગઈ હોય અને સરકાર પાસેથી મંજૂરી લીધી ન હોય તો, આ લગ્ન માન્ય ગણાશે નહીં. સરકારની પૂર્વ મંજૂરી વિના અથવા પતિ તથા પત્નીના જીવિત રહેતા લગ્ન માટે કરાર કરી શકતા નથી અથવા તો તેને કરી શકાય નહીં. આ પ્રકારના લગ્નથી ઉત્પન્ન થતાં સંતાન અનુકંપા આધારિત નોકરી માટે હકદાર નહીં હોય.
જો સરકારની મંજૂરી વિના લગ્ન કર્યા તો...
કોઈ સરકારી સેવકનું સેવાકાળ દરમિયાન મૃત્યુ થયા બાદ આવી સંતાન અનુકંપાના આધાર પર નિમણૂંક માટે તૈયાર થનારા વિચાર પ્રસ્તાવ માટે પણ માન્ય નહીં હોય. જો સરકારથી મંજૂરી લઈને બીજા લગ્ન કર્યા હોય તો, આવી સ્થિતિમાં જીવીત પત્નીઓ અથવા તેમના બાળકોને અનુકંપા આધારિક નિમણૂંક માટે માન્ય ગણાવશે. તેમા પણ પહેલા પત્નીને સ્થાન મળશે. સામાન્ય પ્રશાસન વિભાગે આ સંબંધિત આદેશ વિભાગોના પ્રમુખ, ડીજીપી, મંડળ, તમામ જિલ્લા અધિકારીઓને આપ્યા છે.
સરકારી કર્મચારીઓએ નિયમોનું પાલન કરવું પડશે
એવું પણ કહેવાય છે કે, બીજા લગ્ન સાથે જોડાયેલ અનુકંપા આધારિત નિમણૂંકનો લાભ ત્યારે જ મળશે, જ્યારે તે તમામ યોગ્યતા પર ખરા ઉતરે છે. આવી રીતના કિસ્સામાં સરકારના સ્તરથી નિશ્ચિત નિયમો-કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. પહેલી પત્ની ઉપરાંત જો કોઈ બીજા લગ્નની નિમણૂંક વિચાર કરવાની વાત સામે આવે છે તો, આવા તમામ જીવિત વૈધ્ય પત્નીઓ તરફથી શપથપત્ર આપવાનું રહેશે.