કોરોના 19ની ત્રીજી લહેર આવશે અને તેના સપ્ટેમ્બર- ઓક્ટોબરથી શરુ થવાની આશંકા છે.
ત્રીજી લહેર સપ્ટેમ્બર- ઓક્ટોબરથી શરુ થવાની આશંકા
ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારી પૂરી હોવી જોઈએ
પહેલી લહેર દરમિયાન ભારતમાં મેનેજમેન્ટ સારુ હતુ
ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારી પૂરી હોવી જોઈએ
નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે કહ્યુ કે ભારતે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો ઘણો સારી રીતે કર્યો છે. એટલા માટે સંક્રમણના નવા મામલામાં ઘટાડો નોંધાયો છે. તેમણે એ વાત પર ભાર મુક્યો છે કે ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારી પૂરી હોવી જોઈએ. જેનાથી યુવા વસ્તી વધારે પ્રભાવિત થવાની આશંકા છે.
ત્રીજી લહેર સપ્ટેમ્બર- ઓક્ટોબરથી શરુ થવાની આશંકા
સારસ્વતે કહ્યુ કે ભારતમાં મહામારી વિશેષજ્ઞોએ બહું સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોરોના 19ની ત્રીજી લહેર આવશે અને તેના સપ્ટેમ્બર- ઓક્ટોબરથી શરુ થવાની આશંકા છે. એટલા માટે દેશમાં વધારેમાં વધારે લોકોના રસીકરણ થવું જોઈએ. તેમનું કહેવુ છે કે આપણે ઘણા હદ સુધી સારુ કર્યુ છે. જેથી કેસ ઘટ્યા છે.
નવા મામલાની સંખ્યા ઘટીને લગભગ 1.3 લાખને પાર થઈ
તેમણે કહ્યુ કે આપણી વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી એક્ટિવીટીની મદદ, ઓક્સિદન બેંક બનાવવી, મોટી સંખ્યામાં ઓક્સિજન સપ્લાય માટે ઉદ્યોગો સ્થાપિત કરી આપણે મહામારીને પહોંચી વળવામાં સફળ રહ્યા છીએ. રેલવે, એરપોર્ટ, સેન્ય દળનો ઉપયોગ પ્રવાહી ઓક્સિજનને લાવવા લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલા 4 લાખથી વધારે મામલા આવ્યા હતા પરંતુ કેટલાક દિવસથી નવા મામલાની સંખ્યા ઘટીને લગભગ 1.3 લાખને પાર થઈ ગઈ છે.
પહેલી લહેર દરમિયાન ભારતમાં મેનેજમેન્ટ સારુ હતુ
સારસ્વતે આગળ કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારીની પહેલી લહેર દરમિયાન ભારતમાં મેનેજમેન્ટ સારુ હતુ. તેણે જ દેશને બીજી લહેર સામે લડવા આત્મવિશ્વાસ પણ આપ્યો. કોરોનાની બીજી લહેરના સારા મેનેજમેન્ટને આપણે ઈમરજન્સી મેનેજમેન્ટ કહીએ છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે 8 વાગે જારી કર્યા આંકડા અનુસાર ભારતમાં કોરોનાના એક દિવસમાં 1, 32, 364 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2,85,74,350 થઈ ગઈ. જ્યારે દર્દીના સંક્રમણ મુક્ત થવાનો દર 93 ટકાને પાર થઈ ગયો છે.